એશિયા કપ 2022 સીઝનમાં પાકિસ્તાને ટીમ ઇન્ડિયા સાથે પોતાનો બદલો લઇ લીધો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતીય ટીમે 5 વિકેટે જીત મેળવી હતી. રવિવારે રમાયેલા મુકાબલામાં પાકિસ્તાને 5 વિકેટે મેચ જીતીને હિસાબ બરાબર કરી લીધો છે.મેચમાં ભારતીય ટીમે 182 રનનો પડકાર આપ્યો હતો જેને પાકિસ્તાને અંતિમ ઓવરમાં એક બોલ બાકી રહેતા મેળવી લીધો હતો. મેચના હીરો મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ નવાઝ રહ્યા હતા.
આ મેચમાં કેપ્ટન બાબર આઝમનો એક નિર્ણય એવો હતો જેને આખી મેચ જ પલટી નાખી હતી.આ નિર્ણય નવાઝને ચોથા નંબર પર મોકલવાનો હતો. સ્પિન ઓલ રાઉન્ડર નવાઝ પર કેપ્ટન બાબરે વિશ્વાસ બતાવ્યો હતો અને તેને મિડલ ઓર્ડરમાં બેટિંગ માટે મોકલ્યો હતો. નવાઝે પણ આ વિશ્વાસને તોડ્યો નહતો અને આક્રમક ઇનિંગ રમતા ટીમને જીત અપાવી હતી. રિઝવાને 51 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી. જ્યારે નવાઝે 20 બોલમાં 42 રન ફટકાર્યા હતા.
બન્નેએ ત્રીજી વિકેટ માટે 41 બોલમાં 73 રનની ભાગીદારી કરી હતી.નવાઝને ઉપર મોકલવાના પ્લાનનો બાબરે કર્યો ખુલાસોમેચ પછી બાબર આઝમે પોતાની આ રણનીતિ વિશે ખુલાસો પણ કર્યો છે, તેમણે જણાવ્યુ કે કેમ નવાઝને ઉપર મોકલ્યો હતો. બાબર આઝમે કહ્યુ, આપણે વસ્તુને આસાન રાખવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે આપણા બોલરોએ પાવર પ્લેમાં વિકેટ લીધી, ત્યારે ઘણી ખુશી થઇ હતી.
બેટિંગ દરમિયાન રિઝવાન અને નવાઝે જે પાર્ટનરશિપ કરી તેને જીતનો પાયો રાખ્યો હતો. ભારતીય ટીમમાં બે લેગ સ્પિનર હતા, અમે તેને ધ્યાનમાં રાખ્યુ અને નવાઝને બેટિંગ માટે ઉપર મોકલ્યો હતો.પાકિસ્તાને 5 વિકેટે મેચ જીતીટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે શાદાબ ખાને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. આ મેચ અંતિમ ઓવર સુધી ગઇ હતી. જેમાં 182 રનના પડકારના જવાબમાં પાકિસ્તાને 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવીને મેચને જીતી લીધી હતી.