રવિન્દ્ર જાડેજા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે તાજેતરના સમયમાં બધુ બરાબર નથી. IPL 2022 ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ CSKની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપી દીધું હતું અને જાડેજાને ટીમની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ જાડેજાની કપ્તાની હેઠળની ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું અને ધોનીએ ફરીથી ટીમની કપ્તાની પોતાના હાથમાં લીધી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. તાજેતરના દિવસોમાં, જાડેજાને ટીમની પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો અને આ દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે જાડેજા અને CSKએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે.
આ અહેવાલો વચ્ચે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે હવે જાડેજા CSKનો સાથ પણ છોડી શકે છે. ઇનસાઇડસ્પોર્ટે જાડેજાના નજીકના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર CSK મેનેજમેન્ટ દ્વારા “વ્યગ્ર અને ખૂબ જ દુઃખી” છે. સૂત્રે કહ્યું, “હા, તે (રવીન્દ્ર જાડેજા) નારાજ છે અને ખૂબ જ દુઃખી છે. કેપ્ટનશિપનો મુદ્દો વધુ સારી રીતે હેન્ડલ કરી શકાયો હોત. બધું ખૂબ જ અચાનક થયું. જે રીતે વસ્તુઓ બહાર આવે છે તેનાથી કોઈપણ માણસને દુઃખ થશે.