મુંબઈઃ કોરોના વાયરસે દેશમાં આતંક મચાવી રહ્યો છે. સામાન્ય માણસથી લઈને મોટા નેતા અને સેલિબ્રિટીઝને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. ત્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને પણ કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે. આ અંગે ખુદ સચિને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર ઉપર ટ્વીટ કરીને માહિતી આપી છે. સામાન્ય લક્ષણ જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેઓ હોમ આઇસોલેટ થયા છે. અને દેશના લોકોને ધ્યાર રાખવા માટે પણ અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે હારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધવાના કારણે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આખા રાજ્યમાં 28 માર્ચથી નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને કોરોના ગાઇડલાઇન્સ માનવાની અપીલ કરી હતી પણ કોરોના સંક્રમણમાં ઘટાડો થયો નથી. રાજ્યમાં રાત્રે 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.
શુક્રવારે સીએમે બધા જિલ્લા અધિકારીઓ સાથે બેઠક કરી અને તે પછી નિર્ણય કરવામાં આવ્યો કે લોકડાઉનના બદલે નિયમ સખત કરવામાં આવે જેથી રાજ્ય સરકારે રવિવાર રાતથી નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. સીએમે કોરોના નિયમોનું પાલનને લઇને પણ આદેશ જાહેર કર્યા છે.
સીએમે ચેતવણી જાહેર કરી છે કે જો દર્દીઓની સંખ્યા ઓછી નહીં થાય તો નિયમોને વધારે સખત કરવામાં આવશે. તેમણે આદેશ આપ્યો છે કે મોલ્સ, બાર અને હોટલ્સ માટે બનાવેલા નિયમોનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવે.