નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે જણાવ્યું હતું કે, તેનું ખભા ઓપરેશન સફળ રહ્યું છે. ઓપરેશન બાદ તેણે હોસ્પિટલનો પોતાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
અય્યરે પોતાની પોસ્ટમાં લખ્યું, “ઓપરેશન સફળ રહ્યું છે અને હું શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે પરત આવીશ. તમારી શુભેચ્છાઓ બદલ આભાર.”
ઇંગ્લેન્ડ સામે ઘાયલ થયો હતો
તમને જણાવી દઇએ કે પૂણેમાં 23 માર્ચે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે દરમિયાન જોની બેરસ્ટોના શોટને રોકવાના પ્રયાસમાં 26 વર્ષીય અય્યર ઘાયલ થયો હતો. ત્યારબાદ તે પીડાતો હતો. આને લીધે, તે ઇંગ્લેન્ડ સામેની બાકીની મેચોમાં અને આઈપીએલ 2021 થી પણ બહાર થઇ ગયો.
અય્યરના સ્થાને ઋષભ પંતને બનાવવામાં આવ્યો કેપ્ટન
અય્યરને તેના ખભામાં ગંભીર ઈજા પહોંચી હતી. સ્કેન કર્યા પછી બહાર આવ્યું હતું કે તેની ખભા પર સર્જરી કરાવવી પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અય્યરની રિકવરી આવતા લગભગ ચાર મહિનાનો સમય લાગી શકે છે.
કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લઈ શકશે નહીં
નોંધપાત્ર વાત એ છે કે, અય્યરે જુલાઈમાં ઇંગ્લેન્ડના કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લેવાનો હતો. ખરેખર, કાઉન્ટી ટીમ લંકાશાયરે તેને રોયલ લંડન વનડે કપ માટે સહી કરી હતી, પરંતુ હવે એવું માનવામાં આવે છે કે, અય્યરને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવો મુશ્કેલ છે. કારણ કે તેમને ક્રિકેટના મેદાનમાં પાછા ફરવામાં લાંબો સમય લાગશે.