ક્રિકેટ પ્રેમીઓ માટે IPL 2022 નું મોટું અપડેટ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29 મેના રોજ યોજાનારી ફાઇનલ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ફાઈનલ મેચ સાંજે 7.30ને બદલે 8 વાગ્યે શરૂ થશે.BCCIના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, 40 મિનિટના સમાપન સમારોહને કારણે IPLની ફાઈનલ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. 2019 પછી આ પ્રથમ વખત હશે જ્યારે BCCI IPLમાં સમાપન સમારોહનું આયોજન કરી રહ્યું છે.
સમાપન સમારોહમાં રણવીર સિંહ પરફોર્મન્સ આપશે
IPLના સમાપન સમારોહમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને સંગીત ઉસ્તાદ એઆર રહેમાન પરફોર્મ કરશે. ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે, BCCI છેલ્લા સાત દાયકામાં ભારતીય ક્રિકેટની સફર પર એક શો પણ રજૂ કરશે. થોડા અઠવાડિયા પહેલા, BCCI એ સમાપન સમારોહ માટે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પાસેથી ટેન્ડરો આમંત્રિત કર્યા હતા.