નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો. કોરોના વાયરસના નવા ચેપગ્રસ્ત દર્દીઓ દરરોજ હજારોની સંખ્યામાં નોંધાઈ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં 9 લાખથી વધુ લોકોમાં કોરોના વાયરસનો ચેપ જોવા મળ્યો છે. દરમિયાન, હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ભાઈને પણ કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે.
બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ભાઈ સ્નેહાશિષ ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૌરવ ગાંગુલી અને તેમના ભાઈ સ્નેહાશિષ ગાંગુલી એક જ મકાનમાં જુદા જુદા માળે (ફ્લોર) રહે છે.
જો કે, જૂન મહિનાની શરૂઆતમાં, સ્નેહાશિષ ગાંગુલી કોરોના વાયરસથી પોઝિટિવ હોવાના અહેવાલો આવ્યા હતા. પરંતુ તે પછી સ્નેહાશિષ ગાંગુલીને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાના અહેવાલો ખોટા સાબિત થયા હતા. બંગાળના ક્રિકેટ એસોસિએશન (સીએબી) એ પણ આ અંગે સ્પષ્ટતા આપી હતી.
જૂન મહિનામાં સીએબીએ સ્પષ્ટતા કરી હતી કે, સ્નેહાશિષ ગાંગુલી કોરોના પોઝિટિવ હોવાનું ચાલતી અફવાઓને ટાળીને જણાવવામાં આવે છે કે, તેમને કોરોના વાયરસના ચેપના કોઈ ચિહ્નો નથી. નોંધનીય છે કે, સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (સીએબી)ના સચિવ છે.