નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હવે લગ્નના તાંતણે બંધાવવા જઈ રહ્યો છે. આ માટે તેણે રજાઓ લીધી છે. લગ્નની તૈયારીઓ માટે રજાઓ લીધી હોવાનું બીસીસીઆઈના સૂત્રો પાસેથી જાણમવા મળ્યું છે. ઈન્ડિયન ટીમમાંથી રજા લેવાનું કોઈ કારણ સ્પષ્ટ થતું નથી પરંતુ એક સમાચાર એજન્સી પ્રમાણે બુમરાહે લગ્ન માટે રજા લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જસપ્રિત બુમરાહની રમતની વાત કરીએ તો બુમરાહે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં માત્ર બે મચ રમી હતી. ચેન્નાઇમાં થયેલ પહેલી ટેસ્ટ મેચમાં બુમરાહે ઘણી ઓવર સુધી બોલિંગ કરી હતી અને એમને વધુ સફળતા મળી હતી. ત્યાર પછી બીજી ટેસ્ટ માટે તેમને આરામ આપવામાં આવ્યો હતો.
બુમરાહે અમદાવાદમાં થયેલ ડે -નાઈટ ટેસ્ટમાં વાપસી કરી હતી. ત્યાર પછી તેમને રિલીઝ કરી દેવામાં આવ્યો. ત્યારે બોર્ડે કહ્યું હતું કે જસપ્રીત બુમરાહે પર્શનલ કારણે ચોથી ટેસ્ટ પહેલા BCCIને આગ્રહ કર્યો હતો કે તેમને રિલીઝ કરવામાં આવે. એના આધારે, ફાસ્ટ બોલરને રિલીઝ કરી દેવામાં આવ્યો અને તેઓ ચોથી ટેસ્ટમાં હજાર નહિ રહે.
બોર્ડે સાફ કર્યું કે છેલ્લી ટેસ્ટ માટે બુમરાહની જગ્યાએ અન્ય ખેલાડીને સામેલ કરવામાં નહિ આવે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સિરીઝને લઇ જસપ્રીત બુમરાહને પસંદ કરવામાં નથી આવ્યો. સાથે જ ખબર છે કે વનડે સિરીઝ દરમિયાન પણ તેઓ ભારતીય ટીમ બહાર રહી શકે છે.
ભારતીય ટીમ આ વર્ષે ઘણી બીઝી રહેશે. એવામાં બુમરાહ માટે એ ઉપરાંત સમય નીકળી પણ નથી રહ્યો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ પછી ભારતીય પ્લેયર આઇપીએલમાં બીઝી થઇ ગયા છે. ફરી ઇંગ્લેન્ડમ,આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ઇંગ્લેન્ડથી ટેસ્ટ સિરીઝ થશે. સાથે જ આ વર્ષે ભારતમાં ટી-20 વર્લ્ડ કપ રમાશે.