અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 શ્રેણીની પહેલી મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ 1-0થી આગળ થયું છે. પહેલી ટી20 મેચમાં ભારતને 8 વિકેટે શરમજનક હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ હારના કેટલાક કારણો આગળ ધર્યા છે.
કેપ્ટન વિરાટ કોહલી એ કહ્યુ હતુ કે, અમને પિચ અંગે વધારે જાણકારી નહોતી કે આ પ્રકારના સરફેશ પર શુ કરવુ જોઇએ. આ ઉપરાંત કેટલાક શોટ્સ રમવાની ખોટ વર્તાઇ હતી. અમારે મજબૂત ઇરાદા અને યોજનાની સ્પષ્ટતા સાથે પરત ફરવુ પડશે. આ ઉપરાંત તેણે કહ્યુ હતુ કે, આ વિકેટ એ અમને એ પ્રકારના શોટ્સ રમવા માટે ની પરમિશન ના આપી કે જેવા અમે ઇચ્છતા હતા. બેટીંગ અમારા પ્રદર્શન અમારુ ન્યૂનત્તમ સ્તરનુ રહ્યુ હતુ. અમારે તેનુ પરીણામ અમારે હાર ભોગવીને ચુકવવુ પડ્યુ હતુ.
વિરાટ એ મેચ બાદ શાનદાર રમત રમવા વાળા શ્રેયસ ઐયરની ખૂબ તારીફ કરી હતી. વિરાટ એ કહ્યુ હતુ કે તેને જોઇને એ શિખી શકાય છે કે, ક્રિઝની ઉંડાઇનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે. અમે કંડીશનને સમજવા માટે પોતાને વધારે સમય ના આપ્યો.
શ્રેયસ એ આમ કરી દેખાડ્યુ, જોકે શરુઆતમાં જ વધારે વિકેટ પડી જવા બાદ 150-160 સુધી પહોંચવુ ખૂબ મુશ્કેલ બની ગયુ હતુ. આ ઇન્ટરનેશનલ ક્રિકેટની પુરી યાત્રા છે. જ્યારે તમે લાંબા સમય સુધી રમત રમો છો, તો તમારી સામે ઉતાર અને ચઢાવ આવતા રહેશે. તમારે એક બેટ્સમેનના રુપમાં એ સ્વિકાર કરવો પડશે.
ઇંગ્લેંડ અને ભારત વચ્ચે રમાયેલી 15 T20 મેચ પૈકી ઇંગ્લેંડની આ 8 મી જીત હતી. આ પહેલા બંને દેશો વચ્ચે T20 ફોર્મેટની મેચ રમતા ભારત અને ઇંગ્લેંડ 7-7 મેચ જીતી હતી. મેચમાં નિચો સ્કોર હોવાને લઇને બોલરો પાસે પણ બચાવ ને માટે કંઇ ખાસ તક રહી નહોતી.
જસપ્રિત બુમરાહ અને મહંમદ શામી જેવા બોલરો નહી હોવાને લઇને એ પણ એક મુશ્કેલી નડી રહી છે. ટીમમાં ત્રણ સ્પિનર હતા. પરંતુ તેઓ કોઇ જ પ્રભાવ સર્જી શક્યા નહોતા. ઇંગ્લેંડના ઓપનર જેસન રોય અને જોસ બટલર એ છ ઓવરના પાવર પ્લે દરમ્યાન જ 50 રન ટીમ માટે જોડી દીધા હતા. આમ ઇંગ્લેંડના ઓપનરોએ જ ભારત માટે સંઘર્ષ કરવાની સ્થિતીને પણ પૂર્ણ કરી દીધી હતી.