અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી 20 શ્રેણી રમાઈ હતી. હવે ત્રણ ઓડીઆઈ પૂણે ખાતે રમાવાની છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ પુણે પહોંચી ગઈ છે. બંને વચ્ચે 23 માર્ચ મંગળવારથી શરુ થશે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે પુણે જવા માટે એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યાં વિરાટ કહોલી પુત્રી વામિકા અને પત્ની અનુષ્કા સાથે સ્પોટ થયો હતો. કોહલી પરિવારના આ તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે વિરાટ અને ટીમ ઈન્ડિયા 21 માર્ચ (રવિવાર) બપોરે પુણે માટે અમદાવાદથી રવાના થયા હતા. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર કોહલીની સાથે અનુષ્કા અને વામિકા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોમાં તમે જોઈ શકો છો કે વામિકાને અનુષ્કાએ તેડી છે. બીજી તરફ, વિરાટ કોહલી સામાન લઈને ચાલી રહ્યો છે. ઈંગ્લેન્ડના ભારત પ્રવાસની આ અંતિમ સીરીઝ હશે.
ચેન્નઈ અને અમદાવાદમાં રમાયેલી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ 3-1થી પોતાના નામે કર્યા બાદ ભારતે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ મેચોની ટી20 સીરીઝ 3-2થી જીતી લીધી.
કેપ્ટન કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ સાંજે 4:45 વાગ્યે અમદાવાદથી ચાર્ટર્ડ પ્લેનથી પુણે પહોંચી. ત્રણ વનડે મેચ દર્શકોની ગેરહાજરીમાં 23, 26 અને 28 માર્ચે એમસીએ સ્ટેડિયમમાં રમાશે. કોહલી ઉપરાંત ભારતીય ટીમમાં રોહિત શર્મા, શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, પંત અને ભુવનેશ્વર કુમાર સામેલ છે.
નોંધનીય છે કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ તમામ ખેલાડીઓને પૂરી સીરીઝ દરમિયાન પોતાના પરિવારને સાથે રાખવાની મંજૂરી આપેલી છે. અનુષ્કા શર્માએ ટેસ્ટ સીરીઝ દરમિયાન અમદાવાદમાં વિરાટ કોહલીને જોઇન કર્યું હતું.
ત્યારથી અમદાવાદમાં ગત મહિને બે ટેસ્ટ અને પાંચ ટી20 રમાઇ ચૂકી છે. જોકે, અનુષ્કા અને વામિકા ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે સ્ટેડિયમમાં ક્યારેય આવ્યા નથી. ઈંગ્લેન્ડની વિરુદ્ધ વનડે સીરીઝ ઓયન મોર્ગનની કેપ્ટન્સીવાળી ટીમની સામે ભારતીય ટીમનો પડકાર રહેશે.