નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણી રમાઈ ચૂકી છે અને ભારતે પાંચમી અને નિર્ણાય મેચમાં જીત મેળવીને શ્રેણી ઉપર કબજો કર્યો છે. આ નિર્ણાયક જીત માટે કેપ્ટન વિરાટ કોહલીએ લાંબા સમય બાદ તે રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવા ઉતર્યો તો તેણે કોહરામ મચાવી દીધો. ટીમ ઇન્ડિયાને જીત અપાવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની બેટિંગ ક્રમને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.
ભારતીય કેપ્ટને 52 બોલમાં અણનમ 80 રન કરીને ઈંગ્લેન્ડને 225 રનનો પડકાર આપ્યો હતો. જેના જવાબમાં મહેમાન ટીમ નિર્ધારિત ઓવરમાં માત્ર 188 રન જ કરી શકી અને ભારતે 36 રનથી પાંચમી મેચ જીતવાની સાથે જ સીરીઝ ઉપર પણ કબજો કરી દીધો. કોહલી ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને જોતાં આઇપીએલ (IPL 2021)ની આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી ઓપનિંગ કરશે.
કોહલીએ મેચ જીત્યા બાદ કહ્યું કે, મેં પહેલા વિભિન્ન ક્રમ પરભ બેટિંગ કરી, પરંતુ હવે હું અનુભવી રહ્યો છું કે અમારી પાસે ઘણી મજબૂત બેટિંગ ક્રમ છે અને તે તે અમારા બે શ્રેષ્ઠ ખેલાડીઓ વિશે છે. તેથી હું રોહિતની સાથે ઓપનિંગ પાર્ટનરશિપ કરવા માંગીશ અને આ જ લયને વર્લ્ડ કપ સુધી ચાલુ રાખવા માંગીશ. ભારતીય કેપ્ટને કહ્યું કે, તે આઇપીએલમાં પોતાની ફ્રેન્ચાઇઝ માટે ઓપનિંગ કરશે.
છેલ્લી મેચમાં ટીમના પ્રદર્શન પર કોહલીએ કહ્યું કે, રોહિત શર્માની ક્લાસિક રમત જોવા મળી અને ફરી નંબર ત્રણ પર સૂર્યકુમાર યાદવે પણ સારી બેટિંગ કરી. બાદમાં હાર્દિક પંડ્યાએ સ્ફોટક રમત આગળ વધારી. અમારા માટે આ સંપૂર્ણ મેચ હતી. અમે સામેવાળી ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. ત્યાં સુધી કે આટલા વધારે ડ્યૂની સાથે અગાઉની જેમની જેમ લક્ષનો બચાવ કરવામાં અમે સફળ રહ્યા.