Spiritual: મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો. તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.
બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, “મારા પતિ કોણ હશે?” તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, “તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને” મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.
નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?) ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં.
મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.
પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતા. તેમણે અંદરથી જ કહેવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતા. આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વંધી પેદા થઈ ગયો છે. મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહાર નીકળી આવ્યા અને ખૂબ પ્રેમથી તેમને મળયા.
1.આત્માને ઓળખ્યા વિના…
આત્માને ઓળખ્યા વિના રે, લખ ચોર્યાસી નહિ તો ટળે…હોજી
ભ્રમણાંને ભાંગ્યા વિના રે, ભવના ફેરા નહીં તો મટે…હોજી
… (ટેક)
આ કોયલને કાગ રે, એ તો રંગે રૂપે એક છે…હોજી
એ તો એની બોલી થકી ઓળખાય રે…
હે…લખ ચોર્યાસી…
આ હંસલો ને બગલો રે, રંગેરૂપે એક છે…હોજી
એ તો એના આહાર થકી ઓળખાય રે…
હે…લખ ચોર્યાસી…
સતી નારીને ગુણિકા રે, રંગેરૂપે એક છે…હોજી
સતી નારી એની સેવા થકી ઓળખાય રે…
હે…લખ ચોર્યાસી…
આ ગુરુને પ્રતાપે રે, મીરાબાઈ બોલ્યા…હોજી
દે જો અમને સંત ચરણમાં વાસ રે…
હે…લખ ચોર્યાસી…
2. એ રી મૈ તો પ્રેમ દીવાની,મેરો દર્દ ન જાને કોઈ.
જો મૈ ઐસા જાનતી,પ્રીત કિયે દુઃખ હોય,
નગર ઢીંઢોરા પીટતી,પ્રીત ન કીજો કોઈ…
ઘાયલ કી ગતિ ઘાયલ જાને,જો કોઈ ઘાયલ હોય,
જોહરી કી ગતિ જોહરી જાણે,કી જીન જોહરી હોય……
સુલી ઉપર સેજ હમારી,સોવન કિસ વિધ હોય?!
ગગન મંડળ પર સેજ પિયાકી,કિસ વિધ મિલના હોય….
દર્દ કે મારે બનબન ઢુંઢુ,વૈદ મિલા ના કોય,
મીરાં કે પ્રભુ,દર્દ મિટે જબ,વૈદ સાંવરિયા હોય
3.જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું…
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…
આહ રે કયા રે હંસા, ડોલવા ને લાગી રે
પડી ગયા દાંત માંય, રેખું તો રહયું…
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…
જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું…….
તારે ને મારે હંસા, પ્રિત્યું રે બંધાણી રે
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહયું…
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…
બાઈ મીરાં કહે ?રે પ્રભુ, ગીરધાર નાં ગુણ
પ્રેમ નો પિયાલો તમને, પાઉં ને પીઉં …
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…
જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું…….
4.હરિ વસે છે હરિના જનમાં,
શું કરશો જઈ વનમાં… ટેક
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી વન કે અરણ્યમાં;
કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,
પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..
જોગ કરો ભલે જગન કરાવો,
પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિ વસે છે હરિના જનમાં… હરિ..
5.મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ [2]
જાકે સર મોર મુકુટ મેરો પતિ સોઈ
— મેરે તો ગિરિધર ગોપાલ
અસુવન જલ સીંચ સીંચ પ્રેમ બેલ બોઈ
અબ તો બેલ ફૈલ ગઈ આનંદ ફલ હોઈ
— મેરે તો ગિરિધર ગોપાલ
તાત માત ભ્રાત બંધુ આપણો ન કોઈ[2]
છાંડ ગઈ તુલસી પાન કા કરી હે કોઈ
— મેરે તો ગિરિધર ગોપાલ
ચુનરીકે કીયે ટુક ઓઢલી ઈલોઈ
મોતી મોંઘે ઉતાર બનમાલા પોઈ
મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ[2]
જાકે સએઅ મોર મુકુટ મેરો પતિ સોઈ
— મેરે તો ગિરિધર ગોપાલ
6.પાયોજી મૈને રામ રતન ધન પાયો
વસ્તુ અમૌલિક દી મેરે સતગુરુ
કિરપા કર અપનાયો – પાયોજી મૈને –[2]
–પાયોજી મૈંને
જનમ જનમકી પૂંજી પાઈ
જગમેં સભી ખોવાયો – પાયોજી મૈંને-[2]
— પાયોજી મૈંને
ખરચૈ ન ખૂટે ચોર ન લૂટે
દિન દિન બઢત સવાયો – પાયોજી મૈંને-[2]
— પાયોજી મૈંને
સતકી નાવ ખેવટિયા સત ગુરુ
ભવ સાગર તર આયો –પાયોજી મૈને-[2]
— પાયોજી મૈંને
મીરાકે પ્રભુ ગિરિધર નાગર
હરખ હરખ જસ ગાયો – પાયોજી મૈંને –[2]
— પાયોજી મૈંને
7. ગિરધારીલાલા મને ચાકર રાખોજી
ગિરધરીલાલા મને ચાકર રાખોજી [2]
ચાકર રહશું બાગ લગાશું નીત ઉઠ દરશન પાસું
વૃંદાવનકી કુંજ ગલીમેં ગોવિંદલીલા ગાસું
મને ચાકર રાખોજી[2]
ચાકરીમેં દરશન પાઉં સુમિરન પાઉં ખરચી[2]
ભાવ ભગત જાગી રે પાઉં [2] ઈનો બાતા કરતી
મને ચાકર રાખોજી
મોરમુકુટ પિતાંબર સોહે ગલે વૈજતી માલા [2]
વૃંદાવનમેં ધેનુ ચરાવે મોહન મુરલીવાલા
મને ચાકર રાખોજી
ઊંચે ઊંચે મહેલ બનાવું [2] બીચ બીચ રાખું બારી
સાંવરિયાકે દરસન પાઉં [2] હ્રિ કસુંબલ ખાતી
મને ચાકર રાખોજી
જોગી આયા જોગ કરન કો [2] તપ કરને સન્યાસી
હરિભજનકો સાધુ આયે વૃંદાવનકે બાસી
મને ચાકર રાખોજી[2]
મીરા કે પ્રભુ ગહન ગંભીરા હૃદય રહોજી ધીરા
આધી રાત પ્રભુ દરશન દીનો [2] જમુનાજીકે તીરા
મને ચાકર રાખોજી
ગિરધારીલાલા મને ચાકર રાખોજી
8.રામ રાખે તેમ રહીએ
રામ રાખે તેમ રહીએ…. ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…
બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…
9. મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે
મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે,
મને જશોદાના લાલની મોરલી ગમે,
રાત-દિવસ મારા મનમાં વસી,
રાત-દિવસ મારા દિલમાં વસી,
મને કૃષ્ણ કનૈયાની…
વા’લા વનમાં તેં મોરલી વગાડી હતી,
તમે સુતી ગોપીને જગાડી હતી,
મને કૃષ્ણ કનૈયાની…
વા’લા મોરલીમાં આવું શું જાદુ કર્યું,
તમે સારું ગોકુળીયું ઘેલું કર્યું,
મને કૃષ્ણ કનૈયાની…
મીરાં મસ્ત બની છે સાધુ-સંતમાં રે,
એતો વહી ગઈ રણછોડજીનાં અંગમાં રે,
મને કૃષ્ણ કનૈયાની…
કરમનો સંગાથી
10. હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..
હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..
હો.. એક રે ગાયુનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર.. હેજી રે કરમનો સંગાથી..
હો.. એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય.. હેજી રે કરમનો સંગાથી..
હો.. એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય.. હેજી રે કરમનો સંગાથી..
હો.. એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ..
હેજી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,
દેજો અમને સંત ચરણે વાસ.. હેજી રે કરમનો સંગાથી