અરવલ્લીના ધનસુરાના ખડોલ ગામે ગણેશ વિસર્જન દરમ્યાન નદીમાં ડૂબેલા 7 યુવકોમાંથી 1 યુવકનું મોત નિપજ્યુ છે. જ્યારે એક યુવક જીવતો મળી આવ્યો હતો. જયારે પાંચ યુવકોની શોધખોળ શરૂ કરાઇ છે. બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને જાણ થતાં ત્વરિત ઘટના સ્થળે મદદ માટે પહોંચી ગયા હતા. યુવકો કેશરપુરા અને જશવંત પુરા ગામના યુવાનો હોવાનું ખુલ્યું છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને અન્ય યુવકોની શોધખોળ હાથ ધરી હતી.
Saturday, April 27