ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગદિન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનૌ ખાતે 35000 થી વધુ લોકો સાથે યોગ કરીને આ વિશેષ દિનની ઉજવણી કરશે.
યોગ ભગાએ રોગના સૂત્ર સાથે લખનૌમાં પીએમ મોદી યોગ થકી વિશ્વને તંદુરસ્તીનો સંદેશો પાઠવશે.પીએમ મોદીની રજૂઆતને પગલે 21 જુનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે 21મી જૂન બુધવારના 2017ના રોજ ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવશે.
લખનૌમાં યોગ દિવસની ઉજવણીને લઈને પોલીસ દ્વારા પણ લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.