આમ આદમી ના કહેવાતા નેતા ઇસુદાન ગઢવી એ આજે ગુજરાત આપ દ્વારા ભાજપનાં હેડક્વાર્ટર કમલમ્ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.જેના પગલે કમલમ ખાતે મોટા પ્રમાણમાં આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. જેમાં ભાજપ વિરોધી સુત્રો પણ લગાવ્યા હતા.ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. અને આ દરમિયાન ખૂબ અફરાતફરી મચી હતી અને બંને પક્ષ ભાજપ અને આપ વચ્ચે ખુબ ઘર્ષણ થયું હતું જેના કારણે બંન્ને કાર્યકરો વચ્ચે વધી રહેલું ઘર્ષણ જોઇને પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી.વિરોધ પ્રદશર્ન વખતે ઈસુદાન ગઢવી એ તેમને નશો કર્યું હોવાનું જાણવા મડ્યું છે તે સિવાય ભાજપ યુવા મોરચાનો નેતા પ્રશાંત કોરાટે પણ ડંડો લઈને ગુંડાગીરી પર ઉતર્યો હતો પ્રશાંત કોરાટે ને ગુંડાગીરી કરવાનો હક્ક કોને આપ્યો ?
શ્રદ્ધા રાજપુતે આરોપ લગાવ્યો કે નેતા ઇશુદાન ગઢવી નશાની હાલતમાં હતા. તેમણે નશાની હાલતમાં આ નેતાએ છેડતી પણ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.જેના પગલે હોબાળો મચી ગયો છે શ્રદ્ધા રાજપુતની અરજી મળતાની સાથે જ પોલીસે ઇસુદાન ગઢવીને ઉઠાવી લીધા હતા. તેમને સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે શ્રદ્ધા રાજપુતે ઇસુદાન ગઢવી દારૂનાં નશામાં ચકચુર હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના પગલે હાલ રાજકારણ ગરમાયું છે.