બોલીવુડ અભિનેતા સંજય દત્ત ફેફસાના કેંસરથી ઝુઝી રહ્યા છે. તેમને થર્ડ સ્ટેજનુ એડવાન્સ કેંસર છે. સંજય દત્ત સારવાર માટે અમેરિકા જઇ શકે છે. ફેફસાનુ કેંસર ખુબ જ ખતરનાક હોય છે. જેના કારણે દુનિયામાં લાખો લોકોનુ મોત થઇ રહ્યુ છે. આવો જાણીએ આ ભયંકર બીમારીના લક્ષણ, કારણ અને કેવી રીતે રોકી શકાય.
ઇંસાનની છાતીમાં રહેલ બે સ્પોન્જી ઓર્ગેન્સ લંગ્સ હોય છે. જે શરીરને ઓક્સીજન લેવા અને કાર્બન ડાઇ ઓક્સાઇડ છોડવામાં કામ કરે છે. ધુમ્રપાન કરવાથી આ ખતરો વધી શકે છે. જો કે આ બીમારી તેમને પણ થઇ શકે છે જેણે ક્યારેય જીવનમાં ધુમ્રપાન કર્યુ જ નથી.
કેંન્સરના લક્ષણ કેવી રીતે ખબર પડે
ફેફસામાં કેંસરના લક્ષણ શરૂઆતમાં ખબર નથી પડતા. આ બીમારીના લક્ષણ એડવાન્સ સ્ટેજ ઉપર પહુંચ્યા પછી જ ખબર પડે છે. હંમેશા ઉધરસ આવવી, ઉધરસ માંથી લોહી પડવુ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, ગળામાં સોજો રહેવો, વજન ઓછો થવો, હાડકામાં દુખાવો, માંથુ દુખવુ આ તેમના મુખ્ય લક્ષણ છે.
ક્યારે ડોક્ટરની સલાહ લેવી
ફેફસામાં કોઇ પણ પ્રકારની સમસ્યા સામે આવે કે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ, જો તમે ધૂમ્રપાન કરો છો અને તમે છોડી નથી શકતા તો પણ તમારે ડોક્ટર પાસે જવુ જોઇએ. આ આદત છોડવામાં ડોક્ટર તમારી મદદ કરી શકે છે.
કેવી રીતે રોકી શકાય
ફેફસાનુ કેંસરને રાકવા માટે ડોક્ટર સારી સલાહ આપે છે. ધુમ્રપાનનો ત્યાગ, ધુમ્રપાનના સંપર્કમાં આવવાથી બચવુ, કેમીકલ્સ ફેક્ટરીઓથી દુર રહેવુ, ડાઇટમાં ફળ અને લીલા શાકભાજી લેવા. નિયમિત રીતે એક્સરસાઇઝ કરવી.