કોરોના ના સમય મા નવી-નવી બીમારીઓ અનેક રોગોને ઝપેટી રહી છે
કોરોનાથી નબરી પડેલ રોગપ્રતિકારક શક્તિને લીધે અનેક રોગો માણસ ને ઝપેટી રહ્યા છે.
કોરોના થયા બાદ રોગપ્રતિકારક શક્તિ એકદમ ઓછી થઇ ગઇ હોય છે. સિન્દ્રોમ અને બ્લેક ફંગસ ને લીધે અનેક બીમારીઓ થતી હોય છે. સુરક્ષિત રહેવા કે કોરોના થી બચવા માટે જે ઉપાયો કરવામાં આવે છે. અને કોરોના મટી ગયા પછી ઓછી રોગપ્રતિકારક શક્તિને લીધે આ બીમારીઓ થતી હોય છે.
કોરોના બાદ એક રિપોર્ટ લેવામાં આવ્યો જેમાં ચીન, નેધરલેન્ડ જેવા દેશોમાં અનેક માયોપિયા કેસ નોંધાવવામાં આવ્યા. ત્યારે અત્યારે ભારતના રિપોર્ટ મુજબ માયોપિયા ના કેસ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે. આમાં આંખો બચાવવી જરૂરી છે જેમાં મોટા લોકો સાથે નાના બાળકોને પણ આંખો બચાવવી જરૂરી છે.જો માયોપિયા ના શરૂઆતના સ્ટેજમાં તાત્કાલિક સારવારના લેવામાં ના આવે તો આંખોની દ્રષ્ટિ જઈ શકે છે.
ડો.રાજેન્દ્ર પ્રસાદ અને ડો.અતુલ કુમાર કહે છે કે, અત્યારે ભારતમાં માયોપિયા ની અસર વધુ પ્રમાણમાં જોવા મળે છે અને માયોપિયા ની ફરિયાદો વધી રહી છે. તેનું એક કારણ કોરોના બાદ ઘરમાં રહેવું અને ડિજીટલ ડિવાઈસીસ નો ખૂબ લાંબા સમય સુધી વપરાશ કરવો છે.
પ્રોફેસર અતુલે પણ કીધું છે કે લાંબા સમય સુધી કોઈ એક જ વસ્તુને જોવાથી આંખોમાં માયોપિયા ની અસર સર્જાઇ શકે છે. કેટલીકવાર નજીકની વસ્તુઓ પણ સરખી જોઈ શકાતી નથી અને કેટલીક વાર આંખો પણ જઈ શકે છે અને તેના સાઇડ ઇફેક્ટ એટલા છે કે આંખોમાં લોહી આવી જવું અને સાવધાની બહુ જ જરૂરી છે.
આંખોમાં માયોપિયા ના લક્ષણો÷
આંખો સુકાવી, આંખોમાં લોહી આવી જવું, ઝાખું દેખાવું,આંખો દુખવી ,દૂરની વસ્તુ સાફના દેખાવી, ઊંઘ ન આવવી..
Monday, May 20