પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોમાં રસીકરણની જાહેરાત કર્યા બાદ ગુજરાત સહિત દેશભરના મનમાં સતત આવી રહેલા સવાલના જવાબ આવતીકાલ સાંજ સુધી સ્પષ્ટ થશે ગુજરાતમાં 2003 થી 2006 દરમિયાન જન્મેલાં અંદાજે 35 લાખ જેટલાં બાળકો છે જે વેક્સિનને મળવાને પાત્ર છે ક્યાં અને કઈ વેક્સિન મળશે જેવા સવાલો ન માત્ર વાલીઓને પરંતુ આરોગ્યક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોના મનમાં છે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અને તમામ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે ખૂબ મહત્ત્વની વીડિયો કોન્ફરન્સ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં બાળકોમાં એટલે કે 15 વર્ષથી લઈને 18 વર્ષ સુધીનાં બાળકોમાં વેક્સિનેશન કાર્યક્રમની જાહેરાત કરી છે.ગુજરાતમાં અંદાજે 35 લાખ જેટલાં બાળકો છે જેઓ વેક્સિન મેળવવાને પાત્ર છે આરોગ્ય વિભાગ બાળકોમાં રસીકરણ માટે સજ્જ છે વેક્સિનેશન કાર્યક્રમ અંગેની વિસ્તૃત માર્ગદર્શન સંદર્ભે બેઠક મળવાની છે જેમાં બાળકોમાં રસીકરણ કેવી રીતે કરવું એ અંગે જાણકારી આપવામાં આવશે ગુજરાતમાં અગાઉ પુખ્ત વયના લોકોમાં રસીકરણનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો છે ત્યારે બાળકોના વેક્સિનેશન કાર્યક્રમમાં પણ હેલ્થ વિભાગ તૈયાર છે જોકે સમગ્ર અયોજન અંગે કેન્દ્ર સરકારની ગાઇડલાઈન્સ પ્રમાણે ગુજરાતમાં કાર્યવાહી કરવામાં આવશે બાળકોમાં વેક્સિનેશન હોવાથી તકેદારી સાથે હેલ્થવર્કર રસી આપશે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષનાં બાળકોની રસી માટેની જાહેરાત કરવામાં આવી છે એટલે કે સરળ રીતે સમજીએ તો વર્ષ 2003થી 2006 સુધી જન્મેલાં તમામ બાળકોનો એમાં સમાવેશ થાય છે.
Monday, May 20