[highlight]
નવા અભ્યાસમાં ઉપયોગી તારણ સપાટી પર : ચોકલેટ પણ આરોગ્ય ઉપર એવી જ અસર કરે છે જેવી અસર કસરતના કારણે થાય છે : નવા અભ્યાસનું તારણ
[/highlight]
તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસથી જાણવા મળ્યું છે કે ચોકલેટ એક્સરસાઈઝ કરતા પણ વધારે યોગ્ય છે. ચોકલેટ ખાવાથી વજન વધી જાય છે તેવા અગાઉના અહેવાલોમાં માહિતી આપવામાં આવ્યા બાદ ચોકલેટના ચાહકો ચોકલેટને લઈને હતાશ હતા પરંતુ હવે નવા અભ્યાસથી ચોકલેટના ચાહકોને રાહત થઈ છે. આમા જણાવવામાં આવ્યું છે કે ચોકલેટ ખાવાથી વજન વધી જતું નથી. નવા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી શરીરને એવો જ ફાયદો થાય છે જેવો ફાયદો કસરત કરવાથી થાય છે. એટલે કે ચોકલેટ પણ ફાયદાની બાબત છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મર્યાદિત માત્રામાં ડાર્ક ચોકલેટ ખાવાથી શરીર ઉપર હકારાત્મક અસર થાય છે. કસરતથી જે રીતે શરીરને ફાયદો થાય છે તેવો જ ફાયદો ડાર્ક ચોકલેટથી પણ થાય છે.
આ શોધમાં જાણવા મળ્યું કે ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈને અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. શરીરમાં રહેલા સેલ માટે પાવર હાઉસ ગણાતા માઈટોકોન્ડ્રિયાને ધ્યાનમાં લઈને અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે માઈટોકોન્ડ્રિયાનું કામ એનર્જી ઉત્પન્ન કરવા માટેનું હોય છે. ચોકલેટમાં એક એવું ઘટક તત્વ ઇપિકેટેચીન હોય છે જે મસલ્સને સક્રિય રાખે છે. કસરત કરતી વેળા અથવા તો રમત ગમતથી જે રીતે શરીરને ફાયદો મળે છે તેવી જ રીતે ચોકલેટથી પણ ફાયદો મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એરોબિક્સ, જોગીંગ, સાઈકલીંગથી કોસિકાઓમાં માઈટોકોન્ડ્રિયામાં વધારો થાય છે. સંશોધનમાં જાણવા મળ્યું કે વયની અસર શરીર ઉપર જેનાથી દેખાય છે તે મસલ્સને પણ બિન સક્રિય થવાથી આના દ્વારા રોકી શકાય છે. ઇપિકેટેચીનના પ્રયોગથી માઈટોકોન્ડ્રિયાની સંખ્યાને વધારી શકાય છે. એટલે કે આનાથી સદાબહાર યુવાની તરફ વધુ એક પગલું લઈ શકાશે.