બુધવાર તા. 22 મીએ વિશ્વ જળદિવસની ઉજવણી થશે જળદિવસ મનાવાતો થયો તેના દાયકાઓ પૂર્વે જ જૂનાગઢમાં નવાબી કાળમાં જળસંરક્ષણ ક્ષેત્રે અદભુત આયોજન થયું હતું તદઅનુસાર અગાસી પર વરસતા વરસાદનું પાણી ઘર નીચે બનાવવામાં આવેલા ટાંકાઓમાં સંગ્રહિત થાય છે હાલ પણ જુના નાગરવાડા અને જગમાલ ચોક વિસ્તારમાં આવા અનેક ટાંકાઓ હયાત છે વડીલોએ બનાવેલા આ ટાંકાઓમાં સંગ્રહ થતા પાણીનો તેમના સંતાનો ઉપયોગ કરી રહ્યા છે જ્યારે કુંડ અને શહેરમાં આવેલી વાવ સાચવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે મોટાભાગના કુંડ અને વાવ નામશેષ થઈ ગયા છે યુ.એન દ્વારા 1993 થી જળસંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ જૂનાગઢમાં તો 150 વર્ષ પૂર્વે જ લોકો અને શાસકો પાણીનું મહત્વ સમજતા હતા એટલે માત્ર વાતો કરવાના બદલે તેઓએ જળસંરક્ષણ માટે અદભુત આયોજન પણ કર્યું હતું શહેરના જૂના નાગરવાડામાં આવેલા વડફળિયા ઢેબર ફળિયા અંબાણી ફળિયા અને જગમાલ ચોક સહિતના વિસ્તારોમાં ઘરની નીચે અંડરગ્રાઉન્ડ ટાંકા નવાબી સમયથી બનાવેલા છે જેમાં ચોમાસામાં થતા વરસાદનું પાણી પાઇપલાઇન મારફત ઘર નીચે આવેલા ભૂગર્ભ ટાંકાઓમાં આપોઆપ ઉતરી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી વડીલોએ દોઢ-બે સદી પૂર્વે બનાવેલા ભૂગર્ભ ટાંકામાં હાલ પણ ચોમાસામાં વરસાદી પાણી સંગ્રહિત થાય છે વર્ષભર પીવામાં ઉપયોગ કરવામાં આવે છે
Wednesday, May 1