1 જુલાઈથી લાગુ થનારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સાથે આયાત-નિકાસમાં વેગ મળે તેવા હેતુથી કેન્દ્ર સરકાર 15 અંકનો જીએસટીઆઇએન આલ્ફા-ન્યૂમેરિક કોડ અમલી બનાવશે.
આ કોડમાં પાન નંબર પહેલા રાજ્યનો કોડ અને 3 અંકનો વ્યવસાય કોડ લગાવવામાં આવશે. જેનાથી આયાત-નિકાસકારોને મોટી રાહત મળશે.
ફોરેન ટ્રેડ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ 1992 તેમજ એફટીપી 2015-20 પ્રમાણે 10 અંકનો કોડ આયાત-નિકાસમાં ફરજિયાત હતો. જો કે હવે જીએસટીઆઇએન નંબર અમલી બનશે.
ભાવનગરમાં ડિહાઈડ્રેશન પ્લાન્ટ, શીપ મશીનરી નિકાસ મોટી સંખ્યામાં થાય છે. જેમાં આ 15 આંકડાનો નંબર જરૂરી રહેશે.
જો કે જે ધંધાર્થીઓનું ટર્નઓવર આયાત-નિકાસની મર્યાદા આવતું નહીં હોય, તેમના માટે જીએસટીઆઇએન નંબર લેવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું નથી.
હવે, અરજદારોએ નોટિફાઇડ તારીખના અમલથી આઇઇસી માટે ડીજીએફટી સમક્ષ એપ્યાલ કરવાનું રહેશે. ડીજીએફટી સીસ્ટમથી વર્તમાન આઇઇસી ધારકોનું માઇગ્રેશન કરવામાં આવશે, તેઓને મગજમારીથી રાહત મળ