જો તમે તમારા ફલેટ માટે બિલ્ડરને હપ્તામાં પૈસા આપતા હો તો ૧લી જુલાઇ બાદથી તમારે ૧ર ટકા જીએસટી આપવો પડશે. અત્યારે તમે ૪.પ ટકાનો સર્વિસ ટેકસ ભરો છો પરંતુ જીએસટી બાદ આ દર ૧ર ટકા થઇ જશે. આ જ પ્રકારે જો તમે ૧લી જુલાઇ બાદ કોઇ એવા પ્રોજેકટમાં ઘર ખરીદતા હોય અને જે પુરો થઇ ચુકયો હોય અથવા તો પુરો થવાની નજીક હોય તો પણ તમારે ૧ર ટકા જીએસટી ચુકવવો પડશે.
બિલ્ડર્સનો દાવો છે કે જીએસટી બાદ લાગનારા ટેકસ પર ૭.પ ટકા (૪.પ થી ૧ર ટકા) વધવાનુ કારણ એ છે કે તે જીએસટી લાગુ થયા પહેલા ભરાયેલા ટેકસથી ક્રેડીટ કલેઇમ નહી કરી શકે. એવા પ્રોજેકટ કે જે પુરા થઇ ચુકયા હોય અથવા તો પુરા થવાની તૈયારીમાં હોય, મોટાભાગના ખરીદનારાઓ તેના ૯૦ થી ૯પ ટકા પૈસા આપી ચુકયા હોય તેવા મામલામાં ભારે ટેકસનો બોજો બચેલા પ થી ૧૦ ટકા રકમ ઉપર પડશે. ૧લી જુલાઇ બાદ બિલ્ડર દ્વારા જારી કોઇપણ ઇનવોઇસ ઉપર ૧ર ટકા ટેકસ લાગશે. અનેક ડેવલપર્સ પહેલા જ ખરીદનારાને બચેલી એમાઉન્ટ પર વધુ ટેકસ આપવાની નોટીસ આપી ચુકયા છે.
આ સમગ્ર મામલાને એક ઉદાહરણ તરીકે સમજવાનો પ્રયાસ કરીએ તો માની લ્યો કે કોઇએ ૧ કરોડનો કોઇ ફલેટ ખરીદ્યો હોય અને જે માટે અત્યાર સુધીમાં ર૦ લાખ રૃપિયા ૪.પ ટકા ટેકસ સાથે આપી દીધા છે. બચેલા ૮૦ લાખની રકમ પર હવે ખરીદનારાએ ૧ર ટકા દરે ટેકસ ચુકવવો પડશે એટલે કે પહેલા તેણે ૮૦ લાખ પર ૪.પ ટકાના દરથી ૩.૬૦ લાખ રૃપિયા આપવાના હતા પરંતુ જીએસટી લાગુ થયા બાદ હવે તેણે ૧ર ટકા દરથી ૯.૬૦ લાખ રૃપિયા ટેકસ સ્વરૃપે આપવાના રહેશે. પ્રશ્ન એ ઉભો થાય છે કે, જીએસટી બાદ આટલો બોજો ગ્રાહક પર શા માટે લાદી દેવામાં આવ્યો છે ? ફલેટનો ભાવ ઘટાડવામાં આવે તો જ ગ્રાહકને રાહત થઇ શકે તેમ છે.