નવરાત્રીમાં મા દુર્ગાનાં 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મ અનુસાર મા દુર્ગાનાં બધાં જ સ્વરૂપોની પૂજા કરવાથી મનગમતું વરદાન પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યાં-જ્યાં સતીના અંગોના ટુકડા, તેમનાં વસ્ત્ર કે આભૂષણા પડ્યાં, ત્યાં-ત્યાં શક્તિપીઠોનો ઉદય થયો.
દુનિયા ભરમાં કુલ 51 જગ્યાઓએ માતાનાં શક્તિપીઠોનું નિર્માણ થયાં છે. બીજા જન્મમાં સતીએ રાજા હિમાલયના ઘરે પાર્વતીના રૂપે જન્મ લીધો અને ઘોર તપસ્યા કરી શૈવને પતિ રૂપે ફરીથી પ્રાપ્ત કર્યા. પવિત્ર શક્તિપીઠો ભારતમાં અલગ-અલગ જગ્યાઓએ સ્થાપિત છે.
દેવી પુરાણમાં 51 શક્તિપીઠોનું વર્ણન છે તો દેવી ભાગવતમાં 108 અને દેવી ગીતામાં 72 શક્તિપીઠોનું વર્ણન છે. તંત્ર ચૂડામણિમાં 52 શક્તિપીઠ વિશે જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, દેવી પુરાણ અનુસાર 51 શક્તિપીઠોમાં કેટલાંક વિદેશોમાં પણ છે. ભારતમાં 42 શક્તિપીઠો છે અને બીજા 5 દેશોમાં 9 શક્તિપીઠો છે.પાકિસ્તાનમાં એક, બાંગ્લાદેશમાં 4, શ્રીલંકામાં 1, તિબ્બતમાં 1 અને નેપાળમાં બે શક્તિપીઠ છે.
જેમાં માનસ શક્તિપીઠ (તિબ્બત), લંકા શક્તિપીઠ (શ્રીલંકા), હળ્ડકી શક્તિપીઠ (નેપાળ), ગુહ્યેશ્વરી શક્તિપીઠ, (નેપાળ), હિંગળાજ શક્તિપીઠ (પાકિસ્તાન), સુગંધ શક્તિપીઠ, ખુલના (બાંગ્લાદેશ), કરતોયાઘાટ શક્તિપીઠ, ભવાનીપુર (બાંગ્લાદેશ), ચટ્ટલ શક્તિપીઠ, ચટગાંવ (બાંગ્લાદેશ), યશોર શક્તિપીઠ, જૈસોર (બાંગ્લાદેશ)નો સમાવેશ થાય છે.