ઓમિક્રોન અને કોરોનાના વધતા કેસ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે PM મોદીએ કર્યો વિદેશ પ્રવાસ રદ્દ ફેબ્રુઆરીમાં ગોઠવાઈ શકે છે રિશિડ્યૂલપ્રધાનમંત્રી મોદી આ બંન્ને રાષ્ટ્રોનો પ્રવાસ પીએમ મોદી UAE-Kuwait Visit 6 જાન્યુઆરીના રોજ કરવાના હતા. સાઉથ બ્લોકના સૂત્રો અનુસાર ઓમિક્રોનના વધતા કેસોને કારણે પ્રવાસ પુનઃસુનિશ્ચિત કરવો પડ્યો છે ફેબ્રુઆરીમાં બીજીવાર પ્રવાસ ગોઠવવામાં આવી શકે છે. કોરોનાઅને ઓમિક્રોન વેરિયન્ટ વિશ્વભરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અમેરિકા અને યુરોપ આનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. યુએસમાં, ઓમિક્રોન વેરિઅન્ટે હવે ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લીધું છે અને આ 58 ટકા કેસ પાછળ આ વેરિઅન્ટનો હાથ છે. તે વખતે , યુકેમાં ઓમિક્રોન વેરિઅન્ટના ફટાફટ વધવાના કારણે કોવિડ -19 કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. ભારતમા આની સ્થિતિ નિયંત્રણમાં છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 800 ઓમિક્રોન કેસ સામે આવ્યા છેસોમવારે યુએઈમાં 1,732 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મૃત્યુ થયું હતું. દેશમાં કોવિડ-19ના ઝડપી પ્રસરવાના લીધે અબુ ધાબીએ પ્રવાસીઓ માટે કડક નિયમો બનાવામાં આવ્યા છે અબુ ધાબીની ઈમરજન્સી, ક્રાઈસીસ એન્ડ ડિઝાસ્ટર કમિટી અનુસાર, જે વ્યક્તિઓને રસી આપવામાં આવી છે તેઓએ તેમના મોબાઈલ-ફોન હેલ્થ એપ પર ગ્રીન સ્ટેટસ હોવું જરૂરી છે,અને જેણે રસી લીધી નથી તેમણે 30 ડિસેમ્બરથી યુએઈમાં પ્રવેશવા માટે તેમને નેગેટિવ PCR ટેસ્ટ જરૂર પડશે. UAEમાં અત્યાર સુધીમાં 7.5 લાખ કોરોના કેસ સામે આવ્યા છે જ્યારે 2160 લોકોના મોત થયા છે
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9,195 કોરોનાનાં નવા કેસ આવ્યા હતા. જે ગઇકાલની સંખ્યા કરતાં 44.6 ટકા વધારે છે. વેકસીનેશન અભિયાન અંતર્ગત આજ સુધીમાં 143.15 કરોડ લોકો વેક્સિનના ડોઝ લઈ ચૂક્યા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા હાલ 77,002 છે અને રિકવરી રેટ 98.40 % છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 7,347 દર્દીઓ પુનઃપ્રાપ્ત થયા હતા. જેની સંખ્યા વધીને 3,42,51,292 થઈ ગઈ છે. અમે છેલ્લા 24 કલાકમાં 302 દર્દી ઓના મોત થઈ ચુક્યા છે. જે સંખ્યા વધીને હવે 4,80,592 થઈ ગઈ છે.છેલ્લા 24 કલાકમાં ઉત્તરપ્રદેશમાં કોરોનાનાં 80 નવા કેસ આવ્યા હતા અને તેના કારણે હવે ઉત્તરપ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 392 થઈ ગઈ છે. સામે ગુજરાત રાજ્યમાં કોરોનાના 394 કેસ નોંધાયા હતા. અને એક્ટિવ કેસની સંખ્યા 1420 છેએક્ટિવ કેસની સંખ્યા 1420 છે ગુજરાત રાજ્યમાં કોરોનાના 394 કેસ નોંધાયા હતા. અને સક્રિય કેસની સંખ્યા 1420 છે. તો પણ ગુજરાતને કોરોના પ્રભાવિત રાજ્ય જાહેર કરવામાં નથી આવ્યું. જેના કારણે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ સામે કેટલાક પ્રશ્નો થાય એવી શક્યતા છે. ગુજરાતનાં 1420 દર્દીઓ પૈકી 16 દર્દીઓ વેન્ટિલેટર પર રખાયા છે એટલે કે ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે.