પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના કેસ પોઝિટીવ આવ્યો છે. સોમવારે બપોરે પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ. ટ્વિટમાં લખ્યુ હતુ કે આ વખતે હોસ્પિટલની યાત્રા એક પ્રક્રિયાના સ્વરૂપમાં છે. મને કોરોના પોઝિટિવ આવ્યો છે. વધુમાં કહ્યુ કે ગયા અઠવાડિયામાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તે બધા ટેસ્ટ કરાવે અને આઇસોલેટ થઇ જાય.
પ્રણવ મુખરજીની ઉમર 84 વર્ષ છે. તેમની વધતી ઉમરને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પટિલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચુકેલ પ્રણવ મુખરજી 2012 થી 2017 ની વચ્ચે દેશના રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. વર્ષ 2019માં કેંન્દ્ર સરકારે પ્રણવ મુખરજીને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા છે.