કોરોનાને કારણે દેશ અત્યારે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. રસીકરણની પ્રક્રિયા આ કોહરામને અટકાવે તેવી એક આશા છે. ઘણાં લોકો એવા છે જે અત્યાર સુધી કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે અને પહેલો ડોઝ લીધા પછી સંક્રમિત થયા છે. આ પરિસ્થિતિમાં ઘણાં લોકોમાં એવી ગેરસમજ ઉભી થાય છે કે, રસી લીધા પછી કોરોના પોઝિટિવ થાય તો બીજાે ડોઝ છોડી દેવો જાેઈએ. આ બાબતે નિષ્ણાતોના અભિપ્રાય જાણવા જેવા છે.
એસજીપીજીઆઈના માઈક્રોબાયોલોજી વિભાગના પ્રમુખ પ્રોફેસર ઉજ્જવલા ઘોષાલનું કહેવું છે કે જાે તમે અથવા તમારા સ્વજનોમાંથી કોઈ એવી વ્યક્તિ છે જેને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હોય અને પછી તરત તે કોરોનાથી સંક્રમિત થયું હોય તો પણ જેણે બીજાે ડોઝ ચોક્કસપણે લેવો જાેઈએ. જાે કે કોરોના સંક્રમિત વ્યક્તિને બીજાે ડોઝ ત્યાં સુધી આપવામાં નથી આવતો જ્યાં સુધી તે સંપૂર્ણપણે સ્વસ્થ ના થઈ જાય.
આ પરિસ્થિતિમાં દર્દીએ પહેલા સંપૂર્ણપણે સાજા થઈ જવું જાેઈએ પછી કોરોનાની રસીનો બીજાે ડોઝ લેવો જાેઈએ. નિષ્ણાંતોનું કહેવું છે કે ભલે કોરોનાથી રિકવર થનાર વ્યક્તિમાં અમુક એન્ટીબૉડી બની ગઈ હોય. પરંતુ તેણે વેક્સિનનો બીજાે ડોઝ લેવો જાેઈએ.. માત્ર રસીની મદદથી જ શરીર સંપૂર્ણપણે એન્ટીબૉડી પ્રાપ્ત કરી શકે છે. જે લાંબા સમય સુધી તમને ફરીતી વાઈરસની ચપેટમાં આવવાથી બચાવી શકે છે.
આ સિવાય નિષ્ણાંતોની સલાહ છે કે જે રસીનો પહેલો ડોઝ લીધો હોય, તે જ કંપનીની રસીનો બીજાે ડોઝ પણ લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે ભારતમાં બે પ્રકારની રસી આપવામાં આવી રહી છે. એક છે ભારત બાયોટેકની કો-વેક્સીન અને બીજી છે કોવી શીલ્ડ, જે સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે તમે બન્ને ડોઝ કોવિશીલ્ડના લો અથવા બન્ને ડોઝ કો-વેક્સિનના લો.
રસીકરણના બન્ને ડોઝ વચ્ચે અમુક અઠવાડિયાઓનું અંતર રાખવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન જાે તમને કોરોના થઈ જાય તો ડરવાની જરૂર નથી. રિકવર થયા પછી તમે બીજાે ડોઝ લઈ જ શકો છો. કોરોનાની રસી અને દવાઓને લગતા તમામ ર્નિણયો ડોક્ટરની સલાહ અનુસાર લેવા જાેઈએ.