ગાંધીનગર— ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો હતો કે બીટીપીના બન્ને મતો અમને મળશે અને અમારા બન્ને ઉમેદવારો ચૂંટણી જીતી જશે. કોંગ્રેસના 35 ધારાસભ્યોએ તેમનું મતદાન કર્યું છે અને બીજા ધારાસભ્યો ધીમે ધીમે મતદાન કરી રહ્યાં છે.
બીટીપીની રણનીતિ બદલાઇ છે. બન્ને ધારાસભ્યો 3 વાગ્યા પછી મતદાન કરે તેવી સંભાવના છે. બીટીપી જોશે કે કોંગ્રેસમાં ક્રોસવોટીંગ થયું નથી તો તેઓ કોંગ્રેસને મત આપશે. કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને જીતાડવા બીટીપીએ મન બનાવ્યું છે પરંતુ જો કોંગ્રેસમાં ક્રોસ વોટીંગ થયું તો બીટીપી ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને મત આપશે.
બીટીપીના સુપ્રીમો છોટુ વસાવા કરે છે કે અમે ક્યારેય અમારો મત વ્યર્થ જવા દીધો નથી. 2017માં પણ મેં જે મત આપ્યો હતો તેનાથી કોંગ્રેસના અહમદ પટેલ ચૂંટણી જીતી ગયા હતા. વિધાનસબાની ચૂંટણીમાં કોંગ્રેસે બીટીપી સાથે ગઠબંધન કર્યું હતું. કોંગ્રેસમાંથી જેટલું મતદાન થયું છે તેમાં અત્યાર સુધી એકપણ ક્રોસવોટીંગ થયું નથી. કોંગ્રેસના 35થી વધુ ધારાસભ્યોએ પ્રેફરન્સના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને જીતાડી દીધા છે. શક્તિસિંહને જીતવા પુરતા મતો મળી ચૂક્યાં હોવાનું પાર્ટીના સિનિયર નેતાએ કહ્યું છે.