ગાંધીનગરના કમલમ પેપર લીક કાંડનો જે બનાવ બન્યો હતો ત્યારે ભાજપ અને આપના નેતા વચ્ચે અફરાતફરી થઇ ગઈ હતી અને તે સમયે ઈસુદાન ગઢવી ઉપર શ્રદ્ઘા રાજપૂત દ્વારા ગંભીર આરોપ લાગવામાં આવ્યો હતો કે તેમને દારૂ પીધો હતો આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઈસુદાન ગઢવી જણાવ્યું હતું કે હું માતાજી નો ભક્ત છું મેં ક્યારેય દારૂ ને હાથ લાગવ્યો નથી તો આ રિપોર્ટ પોઝિટિવ આવતા ઘણા સવાલો ઉભા થયા હતા કે ડ્રાય સ્ટેટમાં દારૂ ક્યાં થી આવ્યો ..? ત્યારે આજે ઈસુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી છે.
ઈસુદાન ગઢવી સતત કહી રહ્યા હતા કે મારો લાઈડીટેક ટેસ્ટ કરાવો પરંતુ આજે પ્રોહિબિશન કેસમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીએ ઈસુદાનને જામીન ઉપર છોડવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ સિવાય તેમને જામીન દ્વારા તરત જ છુટકારો પણ થઈ ગયો હતો. તેમને તાત્કાલિક જામીન આપી દેવામાં આવ્યા હતા.