ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા 8 મંત્રીઓને સમાવવામાં આવી શકે છે. ઘણા સમયથી આ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કેબિનટેનું વિસ્તરણ થઈ શકે છે. જેમાં આ નામો સાથે સંભવ છે કે નવા મંત્રીઓ આવે આ ઉપરાંત કોઈનું પત્તું કપાઈ પણ શકે છે. અત્યારેટ 16 મંત્રીઓ છે ત્યારે વધુ મંત્રીઓ સમાવી મંત્રી મંડળ મોટું પણ બનાવવામાં આવી શકે છે.
જેમાં ખાસ કરીને 22 જેટલા જિલ્લાઓમાં કેટલાક ધારાસભ્યોને સ્થાન આપવામાં નથી આવ્યું જેથી નવા આ બાકી રહેલા જિલ્લાઓમાંથી કોઈ મંત્રી મંડળમાં પસંદ કરવામાં આવી શકે છે. જો કે તે સ્પષ્ટ નથી કે હાલના મંત્રીમંડળમાંથી કોને પડતા મૂકવામાં આવશે કે કોને સમાવવામાં આવશે.
ભાજપ સરકાર કેબિનેટમાં અન્ય ધારાસભ્યોને તક આપીને આ નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરશે. કેમ કે, 156 ધારાસભ્યો આ વખતે મોટી સંખ્યામાં પ્રથમ વખત ચૂંટાયા છે ત્યારે તેમાંથી મંત્રી મંડળમાં 16 ને સામે કરાતા 17 સભ્યો સાથે મંત્રી મંડળ નાનું છે ત્યારે વધુ ખાતાની ફાળવણી બાકી જેમની પાસે બેથી વધુ કે તેનાથી વધુ ખાતાઓ છે તેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ભાજપમાં ક્યારે શું નિર્ણય લેવામાં આવે તે વાતને લઈને કોઈને પણ ખ્યાલ નથી હોતો. જેથી નવા મંત્રીઓ વિશે પણ હજુ સુધી કોઈ વિગતો સામે નથી આવી પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાઈકમાન્ડે આ માટે ગુજરાત સરકારને આદેશો આપ્યા છે. જેથી મુખ્યમંત્રીની વર્તમાન કેબિનેટમાં વધુ 8 નવા મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે.
ગત વખતના મંત્રી મંડળના અત્યારના મંત્રી મંડળ કરતા પણ વધુ મંત્રીઓ હતા ત્યારે નવા મંત્રીઓને આગામી સમયમાં સમાવવામાં આવી શકે છે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.