સુરત : વિજય રૂપાણી સુરત મુલાકાતે છે.ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સૌ પ્રથમ તેમને એક સ્નેહમિલન કાર્યક્રમ માં હાજરી આપી અને શહેર ભાજપ પ્રમુખની વર્ષગાંઠની શુભકામના પાઠવી હતી.સાથે જ મીડિયા સાથેની વાતચીત દરમ્યાન તેમને કોંગ્રેસ સામે પ્રહાર કરતા જણાવ્યું કે ,કોંગ્રેસ ની નાવ ડૂબી રહી છે અને નવસર્જમાંથી તે હવે વિસર્જન થવાનું છે.
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું ગુજરાતમાં 150 થી પણ વધુ સીટો મળે તેવો સંકલપ આજના કાર્યક્રમમાં કરવામાં આવ્યો છે.સર્વેમાં કુલ 156 સીટો જાણવા મળી છે.કોંગ્રેસની નાવ હવે ડૂબી રહી છે.કોંગ્રેસની કરોડરજ્જુ હવે તૂટી ગઈ છે.આવનારા દિવસોમાં કોંગ્રેસ સંપૂર્ણપણે નવસર્જનમાંથી વિસર્જન થઈ જશે.સુરત ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વિજયરૂપાણી શહેરના અલગ અલગ ગણેશ પનદાળ ની મુલાકાતે જવા રવાના થયા હતા. જો કે તે પહેલા તેમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ,ગણેશજી દરેક સમાજ,જ્ઞાતિ અને સંપ્રદાયના દેવ છે.સૌ કોઈ લોકો શુભકાર્ય ગણેશની પ્રાણ – પ્રતિસ્થા થી કરે છે. ગણેશજી એકતાના દેવ છે.અને આનાથી એક ભારત શ્રેષ્ઠ ભારત નું નિર્માણ થવાનું છે. મારા 6.50 કરોડ ગુજરાતીઓ પર ગણેશજી રિદ્ધિ – સિદ્ધિ અને સમૃદ્ધિ વર્શાવે તેવી પ્રાર્થના કરું છું. સાથે ગુજરાતને સલામત રાખી આગળ વધાવે તેવી આશા રાખું છું.