કોરોના મહામારી સામે લડી રહેલી દુનિયા માટે ડાયાબિટીસ (મધુમેહ) 21મી સદીની સૌથી ભયાનક હેલ્થ ઈમરજન્સી બનશે અને તેનો સામનો કરવો વિશ્વ માટે ખૂબ જ પડકારજનક બની રહેશે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ) અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વ ડાયાબિટીસ દિવસ પ્રસંગે જણાવ્યું કે, દર વર્ષે સરેરાશ ૫૦ લાખ લોકો ડાયાબિટીસના કારણે મૃત્યુ પામે છે. જોકે 2021ના કોરોના મહામારી દરમિયાન ૭૦ લાખ મધુમેહ રોગીઓના મોત થઈ ચુક્યા છે જેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધો છે.
2021થી 2023 માટે વિશ્વ મધુમેહ દિવસની થીમ છે ‘એક્સેસ ટુ ડાયાબિટીસ કેર- ઈફ નોટ નાઉ વેન? મતલબ કે, મધુમેહનો ઉપચાર સરળ બને, જો અત્યારે નહીં તો ક્યારે?’
સમગ્ર વિશ્વમાં 10માંથી 1 વયસ્કને મધુમેહની ફરિયાદ છે. તેમાંથી મોટા ભાગના લોકોને ટાઈપ-2 ડાયાબિટીસ છે.૨૫.૩ કરોડ લોકોને તો પોતાના રોગ વિશે ખબર જ નથી.
લોકોને હૃદય, કિડની, લિવર અને નેત્ર સંબંધી મુશ્કેલીઓ થઈ રહી છે. ગંભીર થયા બાદ આ બીમારી લોકોને અપંગતા તરફ લઈ જાય છે.
સમયની સાથે લોકોમાં સ્ટ્રેસ નું પ્રમાણ ખૂબ જ વધ્યું છે શરીરમાં મેટોલોલીઝમ ને હોરવી રહ્યો છે એક ગુલાબજાંબુ ખાવા કરતાં એક ગુસ્સો કરવો જોખમી છે ડાયાબિટસ ના મુખ્ય બે પ્રકાર છે ટાઇપ ૧ અને ટાઇપ ૨ આસાનીથી સમજીએ તો ટાઇપ ૧ નાના બાળકોને થતો હોય છે ટાઇપ ૨ મોટી ઉંમર વાળા ને થતો હોય છે મોટા ઉંમર વાળા ને ડાયાબિટીસ મટતો નથી
ખાંડ ચોક્કસ રીતે ડાયાબિટીસ કારણ બન્યું છે એનાથી પણ વધારે બહાર ના જંક ફૂડ ઘાતક હોય છે તેલ વાળા ખોરાક અને વધુ પડતાં મીઠાવાળા ખોરાક ખાવાથી ડાયાબિટસ નું જોખમ વધારે હોય છે