સુરત : આગામી પાંચમી તારીખના રોજ ગણેશ વિસર્જન છે….ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રની સાથે સાથે પોલીસ વિભાગ પણ સજાગ થઇ ગયું છે. જેના અનુસાધનમાં આજ રોજ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો,જિલ્લા કલેકટર ,મેયર સહિત પોલીસ કમિશનર ઉપરાંત ડીસીપી ,એસીપી કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા..
– સુરતમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ પૂર્ણ….
– શહેર પોલીસ સહિત વહીવટી તંત્ર થયું સજાગ…
– પીઓપીની નાની પ્રતિમાઓ માટે 11 થી વધુ કુંત્રીમ
તળાવો તૈયાર…
– 38 જેટલા કુદરતી ઓવારાઓ પરથી થશે ગણેશની
નાની – મોટી પ્રતિમાઓનું વિસર્જન…
-શહેરના અલગ અલગ ઓવારાઓ પર કમાન્ડ એન્ડ
કંટ્રોલની સાથે વધુ 104 સીસીટીવી કેમેરા રહેશે
કાર્યરત…..
– ગણેશની વિશાળ પ્રતિમાના વિસર્જન માટે હજીરા
ખાતે ઉભો કરાયો નવો ઓવારો..
– શહેરમાં ગણેશ વિસર્જનના કુલ 116 રૂટ….
– 108 જગ્યાઓ પર બેરીકેટિંગ લગાવામાં આવશે…
– 38 ઠેકાનાઓ પર ફ્લડ લાઈટ અને 47 જગ્યાઓ
પર લાઉડ સ્પીકરની વ્યવસ્થા…
– ગણેશ વિસર્જન ને લઈ રહેશે પોલીસ નો ચાંપતો
બંદોબસ્ત….
-ગણેશ વિસર્જનના બંદોબસ્ત માં
1.આઈજીપી – 2.
2.ડીઆજી કક્ષાના અધિકારી – 2
3.ડીસીપી – 10.
4.એસીપી – 20.
5.પોલીસ ઇન્સ્પેકટર – 68.
6.પોલીસ સબ ઇન્સ્પેકટર – 182.
7.પોલીસ કર્મચારી – 2641.
8.મહિલા પોલીસ – 281.
9.હોમગાર્ડ જવાનો – 4500.
10.એસઆરપી ની ટુકડી – 10.
11.સીઆઈએસએફ – 1
12.હોકઆઈ – 5112.
13.એફઓપી – 7178.
સુરત પોલીસ કમિશનર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન ની પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ન પડે તેની સૌ કોઈની જવાબદારી બને છે. ગણેશ વિસર્જન ને લઈ શહેર પોલીસ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેના પર પૂરતું ધ્યાનમાં આપવામાં આવ્યું છે. જે માટે શહેરમાં બે આઈજીપી ,બે ડીઆઈજી ,દસ ડીસીપી ,વીસ એસીપી,સહિતના અધિકારીઓ બંદોબસ્ટમાં તૈનાત રહેશે. આ સિવાય 68 પીઆઇ,182 પીએસઆઇ ,2641 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ 281 મહિલા પોલીસ બંદોબસ્ત માં ખડેપગે ફરજ બજાવશે.તદુપરાંત 4500 હોમગાર્ડના જવાનો સહિત 10 એસઆરપી ની ટુકડી અને 1 સીઆઈએસએફની કંપની ગણેશ વિસર્જનના બંદોબસ્ટમાં બાજ નજર રાખશે.જ્યારે 5112 જેટલા હોકઆઈ અને 7178 જેટલા એફઓપી ના જવાનો પોલીસ મદદ માટે રહેશે. ગણેશ વિસર્જનની વાત છે ત્યાં સુધી ,શહેરના કુલ 38 કુદરતી ઓવારાઓ પરથી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. સાથે જ કુલ 11 થી વધુ કુંત્રીમ તળાવમાં પીઓપી ની નાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.જે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યા છે.શહેરના અલગ અલગ ઓવારાઓ પર કમાન્ડ એન્ડ કંટ્રોલની સાથે અલગથી 104 સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પણ હાલ ચાલુ છે.જે દરેક ગતિવિધિઓ પર બાજ નજર રાખવાનું કામ કરશે..કુલ 38 ઠેકાનાઓ પર ફ્લડ લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ,જેની સાથે 47 જગ્યાએ લાઉડ સ્પીકર મુકવાની તૈયારીઓ હાલ ચાલુ છે..ગણેશ વિસર્જન ના કુલ 116 રૂટ છે.જેમાં 108 જગ્યાઓ પર બેરીકેટિંગ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.ગણેશની વિશાળ પ્રતિમાના વિસર્જન માટે હજીરા ખાતે ચાલુ વર્ષે અલગથી ઓવારો શરૂ કરવામાં આવ્યો છે.તાપી નદીમાં આ વખતે પાણીનો પ્રશ્ન ઉભો થવાથી તંત્ર દ્વારા ગણેશભક્તો માટે આ વિકલ્પ ઉભો કરવામાં આવ્યો છે.જેથી કરી હજીરાના દરિયામાં ગણેશની પ્રતિમાનું સહેલાઈથી વિસર્જન થઈ શકે અને ધાર્મિક લાગણી ન દુભાય તેવા પ્રયાસ પણ કરી શકાય છે.
- – પોલીસ બંદોબસ્ટમાં 50 સેક્ટરનું વિભાજન.
- – પીઆઇ કક્ષાના અધિકારી રહેશે ઇન્ચાર્જ..
- – દરેક સેક્ટરનું 17 એરિયામાં વિભાજીત .
- – એસીપી કક્ષાના અધિકારી કરશે સુપરવિઝન.
- – દરેક એરિયાઓનું 9 ફિલ્ડમાં થશે વિભાજીત.
- – જેનું સુપરવિઝન ડીસીપી કક્ષાના અધિકારી કરશે.
પત્રકાર પરિષદને સંબોધતા પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ,સમગ્ર પોલીસ બંદોબસ્ત માં 50 સેક્ટર પાડવામાં આવ્યા છે.જેના ઇન્ચાર્જ તરીકે પીઆઇ કક્ષાના અધિકારી રહેશે.આ સેક્ટરોને 17 એરિયામાં વિભાજન કરવામાં આવ્યા છે.જેનું સુપરવિઝન એસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવેલ છે.તમામ એરિયાઓને 9 ફિલ્ડમાં વિભાજીત કરવામાં આવનાર છે ,જેનું સુપરવિઝન ડીસીપી કક્ષાના અધિકારીઓ કરવાના છે.
પોલીસ કમિશનર કચેરી ખાતે આયોજિત પત્રકાર પરિષદ માં હાજર સુરત જિલ્લા કલેકટર મહેન્દ્ર પટેલે ગણેશભક્તોને શાંતિપૂર્ણ રીતે અને કોમી એખલાસ ના વાતાવરણ વચ્ચે વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરી હતી….ઉકાઈમાં પાણીનું લેવલ ઓછું હોવાના કારણે સરકાર દ્વારા તાપી નદીમાં પાણી નહીં છોડવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે..તાપી નદીમાં પાણીના અભાવે શ્રીજીની પ્રતિમા રઝળી ન શકે તેવા પ્રયાસ સૌ કોઈએ કરવાના છે.જેને લઈ શ્રીજીની વિશાળ પ્રતિમાનું વિસર્જન હજીરા ખાતે નવા ઉભા કરાયેલ ઓવારા પરથી કરવા અપીલ કરી હતી.
તાપી નદીમાં પાણીના અભાવે ગણેશભક્તોમાં નિરાશાનો માહોલ ઉભો થયો છે.તો તંત્ર દ્વારા પણ ગણેશભક્તો માટે અલગથી વિકલ્પ ઉભો કરી હજીરા ખાતે એક અલગથી ઓવારો ઉભો કરવામાં આવ્યો છે….જેથી ગણેશની પ્રતિમાનું સહેલાઈથી વિસર્જન થઈ શકે.તો બીજી તરફ ગણેશ વિસર્જનના સમય દરમ્યાન કોઈ પણ પરિસ્થિતિને પોહચી વળવા પોલીસ તંત્ર પણ સજાગ થઈ ચૂક્યું છે.