હળવદ : અવિશ્વાસ પ્રસ્તાવમાં પિતા હાજર ના રહેતા બે ઇસમોએ પુત્રને માર માર્યો
બે ઇસમોએ યુવાનને માર માર્યાની ફરિયાદ નોંધાઈ
હળવદ તાલુકાના રાણેકપર ગ્રામ પંચાયતમાં અવિશ્વાસ પ્રસ્તાવના મતદાનમાં હાજર ના રહેલ જેનું મનદુઃખ રાખીને ગ્રામ પંચાયતના સભ્યના પુત્રને બે ઇસમોએ માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા બનાવ મામલે પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે
હળવદના નવા રાણેકપર ગામના રહેવાસી વિક્રમભાઈ રણછોડભાઈ રાજપરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ માર્ચના રોજ ગામના ઉપસરપંચ નવઘણ ગણેશભાઈ ઉડેચાએ ફરિયાદીના પિતાજી અમારા ગામની પંચાયતના અવિશ્વાસ પ્રસ્તાવના મતદાનમાં હાજર રહેલ ના હોય જેનું મનદુઃખ રાખીને નવઘણે મોબાઈલ પર ફોન કરીને તે જ તારા બાપને સંતાડેલ છે અને મતદાનમાં હાજર રહેવા દીધેલ નથી કહીને ગાળો બોલી જાતી પ્રત્યે અપમાનિત કરી તમે કેમ ગામમાં રહો છો હું જોઈ લઈશ કહીને ધમકી આઈ હતી જે વાતનું મોબાઈલમાં રેકોર્ડીંગ કરેલ છે બાદમાં તા. ૧૧ માર્ચના રોજ સાંજે ફરિયાદી વિક્રમભાઈ રાજપરા રાણેકપર રોડ પર કેનાલના નાલા પાસેથી નીકળ્યા હોય ત્યારે આરોપી નવઘણ ગણેશ ઉડેચા અને રાજુઈ નવઘણ ઉડેચાએ ઉભો રાખી ગાળો બોલી કાઠલો પકડીને નવઘણએ ઝાપટ મારી તેમજ રાજુએ લોખંડ પાઈપ લઈને તું કેમ ઉપાડો લે છે કહીને જાતી પ્રત્યે અપમાનિત કરી ગામ બહાર કાઢી મુકવાની ધમકી આપી હતી
તે વખતે ગામના મનસુખભાઈ બાબરિયા અને ગીગાભાઈ ગોલતર આવી જતા બંને ઈસમોને ઝઘડો કરતા અટકાવ્યા હતા અને વિક્રમભાઈ પોતાના ઘરે જતા રહ્યા હતા બાદમાં તા. ૧૫ માર્ચના રોજ નવઘણે ફોન કરી સમાધાન કરવા માટે ફોનમાં બોલાચાલી કરી ધમકી આપી હતી આમ આરોપીઓ નવઘણ ગણેશ ઉડેચા અને રાજુ નવઘણ ઉડેચા રહે બંને રાણેકપર તા. હળવદ વાળાએ ફરિયાદીના પિતાજી ગામની પંચાયતમાં તા. ૦૧ માર્ચના રોજ અવિશ્વાસ પ્રસ્તાવના મતદાનમાં હાજર ના રહેલ હોય જેનું મનદુઃખ રાખી ફોન કરી ગાળો આપી જાતી પ્રત્યે અપમાનિત કરી તેમજ બાદમાં મારામારી કરી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે મારામારી અને એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે