નવી દિલ્હી: મોદી સરકારે ખેડૂતોના હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે ખેડૂતોને લોનના વ્યાજદર પર વધુ છૂટ મળશે. આ યોજનાનો ફાયદો એવા ખેડૂતોને મળશે જે એક વર્ષમાં લોનની ચુકવણી કરી દેશે.
બુધવારે મળેલી કેબીનેટની મિટિંગમાં ખેડૂતોને 9 ટકા પર મળતી લોન હવે માત્ર 4 ટકાના વ્યાજદરથી મળશે. કેન્દ્રિય કેબિનેટ ફોર્મ લોન પર વ્યાજમાં સરકાર 2 ટકાની સબસિડી આપશે . ખેડૂતોની લોન માફીના દરને 3 થી વધારી 5 કરી દેવામાં આવ્યો છે. આ યોજના એક વર્ષમાં લોન ચૂકવનાર ખેડૂતોને જ મળશે.
મોદી સરકારના આ નિર્ણયના કારણે હવેથી ખેડૂતોને પહેલા કરતાં વ્યાજના દરમાં વધુ છૂટ મળશે. ત્રણ લાખ સુધીની રકમ પર આ વ્યાજદર લાગુ પડશે. કેબિનેટના આ નિર્ણયથી કેન્દ્ર સરકાર પર 19 હજાર કરોડ રૂપિયાનો બોઝ પડશે.