સમગ્ર દેશમાં કોરોના નો કહર જોવા મળી રહ્યો છે અને સમગ્ર દેશ ને હાલ 21 દિવસ માટે મોદી સરકાર દ્વારા લોક-ડાઉન કરી દેવામાં આવ્યું છે. બધા રાજ્યોમાં કેસો ઘટવા ને બદલે વધી રહ્યા છે કારણ કે લોકો social distancing નો અમલ નથી કરી રહ્યા અને ખુલ્લે આમ વગર કારણે બહાર નિકળી રહ્યા છે. હાલ કોરોનાએ 14 માસ ના બાળક નો જીવ લીધો છે. જામનગરમાં કોરોનાવાયરસ થી આજે પ્રથમ મોત થયું છે અહીં કોરોનાવાયરસ ના કારણે 14 માસના બાળકનું મૃત્યુ થયું છે. આ બાળકનું હાર્ટ અને કિડની ફેલ થવાના કારણે મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે બાળક 5 તારીખ થી એડમિટ થયું હતું અને વેન્ટિલેટર પર હતું અને ડોક્ટરોએ તેને બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ નિષ્ફળતા મળી હતી. આ સાથે રાજ્યમાં કોરોનાવાયરસ ના કારણે 16 લોકોના મોત થયા છે.
Sunday, May 19