ગ્લાસગો જળવાયુ સમજૂતી અંતર્ગત તમામ દેશ 2030 સુધી પોતાના વર્તમાન ઉત્સર્જન લક્ષ્યો પર ફેરવિચારણા માટે સહમતિ બન્યછે
સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન કોપ26માં ભારતને મોટી ડિપ્લોમેટિક જીત મળી હતી સંમેલન દરમિયાન ગ્લોબલ વોર્મિંગ મામલે થયેલી ચર્ચા દરમિયાન ભારતના છેલ્લા સમયમાં 300 દેશોને એ સમજાવવામાં સફળતા મળી કોલસાના ઉપયોગને તબક્કાવાર રીતે ખતમ કરવાના બદલે તેના ઉપયોગને ઘટાડવામાં આવ્યો ભારતે સમજૂતીના અંતિમ સમયમાં કોલસાને ‘ફેઝ આઉટ’ના બદલે ‘ફેઝ ડાઉન’માં સામેલ કરાવ્યો. ત્યાર બાદ ભારતે પણ COP26ના એ પ્રસ્તાવનું સમર્થન કરી દીધું જેને300દેશો તરફથી પસાર કરવામાં આવેલો.હતો.
1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હાંસલ કરવાનું લક્ષ્ય હતું ?
આ સમજૂતીમાં ગ્લોબલ વોર્મિંગને 1.6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમાં ભારત અને ચીન વિશ્વના અન્ય દેશોને અંતિમ સમયમાં કોલસા અને જીવાશ્મ ઈંધણનો ઉપયોગ ખલ્લાસ કરવાના બદલે ઘટાડવાની વાત સમજાવી ગ્લાસગો જળવાયુ સમજૂતી અંતર્ગત તમામ દેશ 2030 સુધી પોતાના વર્તમાન ઉત્સર્જન લક્ષ્યો પર ફેરવિચારણા માટે સહમત બન્યા.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે યુએન જળવાયુ પરિવર્તન સંમેલનને ભલે એક મહત્વનું પગલું જણાવ્યું હોય પરંતુ તેમણે વિશ્વને જળવાયુ સંકટ તરફ આગળ વધારવાની હોવાની ચેતવણી પણ આપી હતી. અમેરિકી જળવાયુ પ્રમુખ જોન કેરીએ જણાવ્યું કે, આ સમજૂતી જળવાયુ પરિવર્તનની દિશામાં કોઈ અંતિમ સમજૂતી નથી પણ આપણે હજું ઘણું બધુ આગળ વધવાની જરૂર છે.