ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસનો અંત આવ્યો છે. બીજી ઈનિંગમાં ભારતે 267/7ના સ્કોરે ઈનિંગ્સ ડિક્લેર કરી હતી અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 540 રનનો જંગી લક્ષ્યાંક આપ્યો છે. ટાર્ગેટ ચેઝ કરતા ન્યૂઝીલેન્ડનો સ્કોર 140 રન પર 5 વિકેટ છે.
ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી નિકોલ્સ 36 રને અને રચિન રવિન્દ્ર 2 રન બનાવી અણનમ છે. ભારત તરફથી આર અશ્વિન અત્યાર સુધી કુલ 3 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. મેચમાં હજી બે દિવસની રમત બાકી છે. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા 400 રન બનાવવાના છે અને ભારતને 5 વિકેટની જરુર છે.
ટાર્ગેટનો પીછો કરતા NZની શરૂઆત ખરાબ રહી હતી અને કિવિ કેપ્ટન ટોમ લેથમ 6 રન બનાવી આર અશ્વિનના બોલ પર LBW આઉટ થયો હતો. લાથમે રિવ્યુ લીધો, પરંતુ તેનો નિર્ણય ટીમ ઈન્ડિયાના પક્ષમાં રહ્યો. ડેરિલ મિશેલ અને વિલ યંગે બીજી વિકેટ માટે 32 રન જોડીને ટીમની ઇનિંગ્સને પાટા પર લાવી હતી, પરંતુ અશ્વિને યંગને 20 રને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. યંગની વિકેટ સાથે આર અશ્વિન આ વર્ષે 50 ટેસ્ટ વિકેટ લેનારો પ્રથમ બોલર પણ બન્યો છે.
બીજી ઈનિંગમાં શુભમન ગિલ 75 બોલમાં 47 રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ રચિન રવિન્દ્રના ખાતામાં આવી હતી. ગિલ પ્રથમ ઈનિંગમાં પણ 44 રન બનાવીને આઉટ થયો હતો. ગિલ અને કેપ્ટન કોહલીએ ત્રીજી વિકેટ માટે 144 બોલમાં 82 રન જોડ્યા હતા.
સચિન રવિન્દ્રએ શુભમન ગિલ તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ વિકેટ ઝડપી.
પૂજારા LBWમાં મળેલા જીવનદાનનો ફાયદો ન ઉઠાવી શક્યો
34મી ઓવરના છેલ્લા બોલ પર ચેતેશ્વર પૂજારા LBW આઉટ થયો. પૂજારાએ DRSનો સહારો લીધો અને રિવ્યૂમાં બોલ વિકેટ ઉપર હોવાથી નોટઆઉટ કરાર થયો. પરંતુ આ જીવનદાનનો તે ફાયદો ન ઉઠાવી શક્યો અને એજાઝ પટેલની ઓવરમાં આઉટ થયો.