દિવસે ને દિવસે કોઈને કોઈ ઘટનાથી ગુજરાતના રાજકારણમાં ગરમી આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એક પછી એક પક્ષ પોતાના તરફથી ચોટી એડીનું જોર લગાવી રહી છે. પાટીદાર અનામત મુદ્દે શું નિર્ણય આવશે તે અંગે સૌ કોઈ જાણવા આતુર છે એક તરફ એવા સંકેતો મળ્યા હતા કે કોંગ્રેસ સાથે તાલ મેળવી પાસ આ મામલે કોઈ નિર્ણય લેશે પણ હજુ સુધી આ કોકડું ગૂંચવાયેલું જ છે આ મામલે કોંગ્રેસે આપેલી 3 ફોર્મ્યુલા અંગે અંતિમ ચર્ચા માટે આમંત્રિત કરાયેલા ‘પાસ’ના આગેવાનોની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથેની મુલાકાત થઈ શકી નહોતી, જેના કારણે દિનેશ બાંભણિયાએ સ્ફોટક નિવેદન આપ્યું છે કે, આ પાટીદારોનું અપમાન છે. કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ 24 કલાકમાં સ્પષ્ટ કરે, નહીં તો ચૂંટણીમાં કોંગ્રેસનો પણ વિરોધ કરવામાં આવશે.
પાટીદારોના ગઢ અને અનામત આંદોલનનું એપીસેન્ટર ગણાતા મહેસાણામાં પાટીદાર સંકલન સમિતિએ શનિવારે ભાજપના સમર્થનમાં મહારેલીનું યોજવાની જાહેરાત કરી છે.આજે યોજાવાની હતી રેલી પરંતુ મંજૂરી નથી હવે જોવાનું એ છે કે પાસના 24 કલાકના અલ્ટિમેટમનું પરિણામ શું આવશે