2 જી સ્પેક્ટ્રમ કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં પૂર્વ ટેલિકોમ મંત્રી એ. રાજા અને દ્રમુક નેતા કનિમોજી સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.કોર્ટમાં કેસના અન્ય ત્રણ આરોપી કંપનીઓને પણ નિર્દોષ જાહેર કર્યા છે આ કૌભાંડના આરોપોથી મનમોહન સિંહની યુપીએ 2 સરકારની હકાલપટ્ટી થઈ હતી. પરંતુ આજના નિર્ણયથી સમગ્ર બાબતે નવા વિચારથી વિચારવા વિવશ કર્યા છે.
કોર્ટના ફેસલા પછી 2G Scamનો મામલો સોશિયલ મીડિયા પર છવાયો હતો Twitter પર # 2GScamVerdict ટ્રેંડિંગ છે Twitter પર લોકોની પ્રતિક્રિયા જોવા મળે છે કેટલાક લોકો ફિલ્મો અને વિડિયો ક્લિપ શેર કરી રહ્યા છે # 2GScamVerdict સાથે લોકોએ ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ પોસ્ટ કરી છે. એક યુઝર ક્ષિતિજ મોદીએ લખ્યું છે, ‘જેસિકાને કોઈએ નથી મારી, કાળા હરણને કોઈએ નથી માર્યા, અારૂશીને કોઈએ નથી મારી, અને હવે કોઈએ 176 હજાર કરોડ નથી ચોર્યા… તેથી અતુલ્ય ભારત.’
એક યુઝર અંકિજ ગુંજલ દ્વારા આ નિર્ણય પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલની મનોસ્થિતિ દર્શાવતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. એક યુઝર સેલ્ફી કવીને ખૂબ જ મસ્તીભર્યા અંદાજમાં કહ્યું કે, ‘જ્યારે જજ સાહેબે કોર્ટમાં પૂછ્યું કે,’ કોઈ એક કારણ જણાવો કે તમને લોકોને કેમ છોડાવવા જોઈએ? એ. રાજા અને કનિમોજીએ કહ્યું, ‘સર દુનિયા 4 જી પર પહોંચી અને તમે હજુ સુધી 2 જી પર અટક્યા છો. જજ સાહેબે કહ્યું હતું કે પોઈન્ટ છે, જાવ રીહા … ‘