ગુજરાતમાં કોરોનાના નવા 573 કેસ નોંધાયા છે. અરવલ્લી અને રાજકોટમાં કોરોનાથી એક – એકના મોત થયા છે. ગુજરાત સરકાર એલર્ટ મોડ પર છે. આરોગ્ય તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારે રાત્રી કર્ફ્યુને યથાવત રાખ્યો છે.
રાજ્યના આરોગ્ય વિભાગનાં આંકડા અનુસાર પાછલા ચોવીસ ક્લાકમાં અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ નોંધાયા છે. સુરતમાં 78, વડોદરામાં 50, રાજકોટમાં 28 કેસ, ગાંધીનગરમાં 19, કચ્છમાં 16, વલસાડમાં 15 કેસ, આણંદમાં 14, ભાવનગરમાં 10, મહિસાગરમાં 9 કેસ, ભરૂચ, ખેડા અને નવસારીમાં 8 કેસ નોંધાયા, જામનગરમાં 7, અમરેલી, અને મહેસાણામાં 5 કેસ નોંધાયા છે.
આ ઉપરાંત પંચમહાલમાં 4, મોરબી અને જૂનાગઢમાં 3 કેસ, સાબરકાંઠામાં 2, દ્વારકા, ગીરસોમનાથ અને સુરેન્દ્રનગરમાં એક કેસ નોંધાયા છે.
રાહતની વાત એ છે કે પાછલા ચોવીસ ક્લાકમાં ઓમિક્રોનનો રાજ્યમાં એક પણ કેસ નહી નોંધાયો નથી.