લાખોટા તળાવ સાત રસ્તા ચોક ડીકેવી સર્કલ અને શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં લોકો પાસે ગાઇડલાઇન્સનું કડક પાલન નહીં કરાવાય તો દક્ષિણ આફ્રિકાની જેમ સંક્રમણ ફેલાતાં વાર નહીં લાગે દિવાળીના તહેવાર અને લગ્નસરાની સીઝન બાદ જામનગરમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળે છે છેલ્લા એક જ અઠવાડિયામાં જામનગર ખાતે કોરોના અને ઓમિક્રોન કેસની સંખ્યામાં વધારો થતા વિવિધ વિસ્તારોમાં પહોંચી જેમાં અવિશ્વસય ચિત્રો સામે આવ્યા હતા વધતા જતા કોરોના કેસ સામે જામનગરનું તંત્ર નિંદ્રાધીન હોય અને તેનો ફાયદો ઉઠાવી જામનગરની જનતા કોવિડ ગાઇડલાઇન્સનો ભંગ કરી ફરી રહી છે શહેરમાં 80 ટકા રિક્ષાચાલકો તો 60 ટકા સવારમાં વોકિંગ કરવા નીકળેલા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા જામનગરમાં વધતા જતા કોરોના કેસ અને ઓમિક્રોનની દહેશત વચ્ચે પહોંચી હતી તેમજ જામનગર શહેરના લાખોટા તળાવ સાત રસ્તા ચોક ડીકેવી સર્કલ અને શાક માર્કેટ સહિતના વિસ્તારમાં પહોંચી ચેક કરવામાં આવ્યું હતું
જેમાં ચોંકાવનારા ચિત્રો સામે આવ્યા હતા સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે પણ લોકો બિન્દાસ્ત રીતે કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરી ફરતા નજરે પડ્યા હતા કોઈ પણ જગ્યાએ ગાઇડલાઇનનું પાલન કરાવવા તંત્ર પણ નજરે પડ્યું નહોતું જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ને એવું તારણ કાઢવામાં આવ્યું કે 80% જેટલા રિક્ષાચાલકો માસ્ક પહેર્યા વગર રિક્ષા ચલાવતા નજરે પડ્યા હતા બીજી તરફ ફરવાલાયકનું મુખ્ય સ્થળ લાખોટા તળાવ ખાતે ફરવા તેમજ વોકિંગ કરવા આવતા લોકો પૈકી 60%થી વધુ લોકો માસ્ક પહેરવાનું ટાળતા હોવાના ચિત્રો જોવા મળ્યા હતા જ્યારે શાકમાર્કેટમાં ચેક કરતા એક પણ વેપારીએ ચહેરા પર માસ્ક લગાવ્યું ન હોવાનું જોવા મળ્યું હતું
જામનગરમાં સાત રસ્તા સર્કલ શહેરનું મુખ્ય અને પ્રખ્યાત સર્કલ છે આ સર્કલ ખાતે સાંજના સમયે 30 મિનીટ ઉભા રહી સર્વે કરવામાં આવ્યો હતો જેમાં રસ્તા પર પસાર થતા વાહનચાલકો તેમજ રિક્ષાચાલકો અને મુસાફરો 60થી 65% લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું ઉપરાંત 10થી 15% એવા લોકો જોવા મળ્યા હતા જેઓએ ચહેરાના બદલે દાઢીએ માસ્ક લટકાવ્યા હતા ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ 2 ડિસેમ્બરના રોજ પોઝિટિવ જાહેર થયો હતો ત્યારબાદ તેમના સંપર્કમાં રહેલા બે સંબંધીઓના ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા ઓમિક્રોનની સાથે સાથે જામનગરમાં કોરોનાનું પણ વધતું સંક્રમણ જોવા મળી રહ્યું છે છેલ્લા એક અઠવાડિયાની અંદર કોરોનાના 50થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે કોરોના અને ઓમિક્રોનના દહેશત વચ્ચે જામનગરના નાગરિકો પાસે કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરાવવા બદલે તંત્ર આંખ આડા કાન કરી ઘોર નિદ્રામાં સૂતું હોય તે રીતે લોકોને બિનધાસ્ત ફરવા મંજૂરી આપી કોરોનાના મુખમાં ધકેલતી હોય તેવું લાગી રહ્યું છે.