રૂ.500 અને રૂ.2000ના સંદર્ભમાં કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ હવે બેંકોને રૂ.500 અને રૂ.2000ની નોટો મોકલવામાં આવશે નહીં કારણ કે આ ચલણના અગાઉ રજૂ કરેલી નોટો બેંકોમાં પાછી આવી નથી.નોટબંધી પછી જારી કરાયેલારૂ.2000 અને રૂ.500ની નોટો બેંકોમાં પાછી આવતી નથી.એવું માનવામાં આવે છે કે આ નોટો કાળાં નાણાંના રૂપમાં જમા કરવામાં આવી રહી છે.આ શંકાને લીધે, સરકારે હવે ધીમે ધીમે બેંકોમાંથી મોટી નોટો પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે અને મોટી નોટોની જગ્યાએ 200ની નોટ માર્કેટમાં મહત્તમ ઉપયોગ થાય તેવું કર્યુ છે.જેથી કાળા નાણાં એકત્રિત ન થાય. આગામી થોડા દિવસોમાં, એટીએમમાં ફેરફારો પણ કરવામાં આવશે અને એટીએમથી 500, 200 અને 100ની નોટો પણ મળશે. શરૂઆતમાં એક એવી પરિસ્થિતિ હતી કે 2000 નોટો મોટી સંખ્યામાં આવી હતી. એટીએમમાં ફક્ત 2000 નોટ જ નીકળતી હતી. લગભગ 6 મહિના માટે અાવું જ રહ્યું પછી, પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ. 500 નોટો બજારમાં રહી હતી, 2000 ની નોટો અદ્રશ્ય થઇ ગઇ હતી.હવે ધીમે ધીમે 500ની નોટો પણ મળતી નથી. કાળાં નાણાંની નોટોમાં મોટી નોટો જમા થવાની સંભાવના સાથે, સરકારે ધીમે ધીમે 2000 ની નોટો પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે બજારમાં 200, 100, 50, 20 અને 10ની નોટોનું ચલણ મહત્તમ જથ્થામાં લાવવામાં અાવશે.એટીએમના 2000 નોટ પણ આવતા નથી. માત્ર 500 અને 100 નોટો ઉપલબ્ધ છે. એટીએમમાં સમાન નોટો રાખવામાં આવે છે જે બેંકોમાં પાછા જમા કરવામાં આવે છે. મોટી નોટોની અછતને કારણે, એટીએમમાં આવતી નથી. બેન્કોના જણાવ્યા મુજબ, આગામી થોડા દિવસોમાં મોટી સંખ્યામાં નાની ચલણની નોટો આવશે. 10, 50 અને 100ની નોટો હશે. આ નોટો અનુસાર, એટીએમ પણ બદલાશે. તે બેન્કો દ્વારા તૈયાર કરવામાં આવી છે બેંકો દ્વારા 200 નોટો જારી કરવામાં આવે ત્યારે બેન્કો દ્વારા એટીએમ બદલવામાં આવશે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.