ઇજિપ્તમાં ધાર્મિક એકતા માટે શરૂ થયેલી ઝુંબેશ ઇજિપ્ત ફૅમિલી હાઉસની દશમી વર્ષગાંઠના પ્રસંગે અલ-અઝહરના અગ્રણી ઇમામ અલ-તૈયબે અબ્રાહમી ધર્મની ખૂબ ટીકા કરી છે.એમની આલોચનાએ અબ્રાહમી ધર્મને ફરી એક વાર અખબારોના પાને મહત્ત્વનો બનાવી દીધો છે. આ ધર્મને કારણે છેલ્લા એક વર્ષમાં આરબ દેશોમાં આભ તૂટ્યું હતું.અબ્રાહમી ધર્મ અસ્તિત્વમાં આવ્યો હોવાની અત્યાર સુધીમાં કોઈ સત્તાધાર ઘોષણા થઈ નથી. ના કોઈએ આ ધર્મની સ્થાપનાનો પાયો નાખ્યો છે કે ના તો એના કોઈ અનુયાયી છે. એટલું જ નહીં, એનો કોઈ ધાર્મિક ગ્રંથ પણ ઉપલબ્ધ નથી.ઇજિપ્તમાં ધાર્મિક એકતા માટે શરૂ થયેલી ઝુંબેશ ઇજિપ્ત ફૅમિલી હાઉસની દશમી વર્ષગાંઠના પ્રસંગે અલ-અઝહરના અગ્રણી ઇમામ અલ-તૈયબે અબ્રાહમી ધર્મની ખૂબ ટીકા કરી છે.
કેટલાક સમયથી ઇસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી – આ ત્રણે ધર્મોમાં જોવા મળતી એકસમાન બાબતોને લઈને પયગંબર અબ્રાહમના નામનો ધર્મ બનાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે.કુરાનમાં ઈસા મસીહનો ઉલ્લેખ દર્શાવતા હતા. લગભગ એક વર્ષ પહેલાંથી શરૂ થયો છે અને એ સંબંધી કેટલાક વિવાદ પણ જોવા મળ્યા છે.જોકે ઘણા લોકો હજુ પણ એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કે ઇમામે આ મુદ્દે ચર્ચા કરી કેમ? કેમ કે, હાલ તો બધા લોકો એવા છે જેમણે આ ધર્મના બારામાં પહેલી વાર અલ-તૈયબને જ સાંભળ્યા છે.અલ-અઝહરના શેખ દ્વારા અપાયેલા ભાષણમાં વિભિન્ન ધર્મોના અનુયાયીઓ સાથે સહ-અસ્તિત્વની વાત સામેલ છે.ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં 2011ની ક્રાંતિ પછી પોપ શેનૉદા તૃતીય અને અલ-અઝહરના એક પ્રતિનિધિમંડળ વચ્ચે વાતચીત થયા પછી ઇજિપ્ત ફૅમિલી રચવાનો વિચાર કરાયો હતો.બે ધર્મો વચ્ચે સહ-અસ્તિત્વ અને સહિષ્ણુતાવિષયક વાત કરવી તાર્કિક અને અપેક્ષિત પણ છે. એમ પણ કહેવાય છે કે શેખ અલ-અઝહરે ફૅમિલી હાઉસના હવાલાથી અબ્રાહમી ધર્મની હિમાયતો પર ટિપ્પણી કરવાનું યોગ્ય માન્યું હશે.
અલ-તૈયબે વાતની શરૂઆત કરતાં કહ્યું કે, “નિશ્ચિતરૂપે તેઓ બે ધર્મો, ઇસ્લામ અને ખ્રિસ્તી, વચ્ચે ભાઈચારાની ભાવનાને ભ્રમિત કરવા અને બે ધર્મોના મિશ્રણ અને વિલયને લઈને જાગી રહેલી શંકાઓના વિષયમાં વાત કરવા ઇચ્છે છે.ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ અને ઇસ્લામને એક જ ધર્મમાં ભેળવી દેવાની ઇચ્છા રાખવાનું આહ્વાન કરનારા લોકો આવશે અને કહેશે કે બધી બૂરાઈઓથી છુટકારો આપવામાં આવશે.
તૈયબે એના પર જવાબી હુમલો કેમ કર્યો?
અલ-તૈયબે નવા અબ્રાહમી ધર્મના નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે. એમણે કહ્યું કે એના દ્વારા જે નવા ધર્મની સ્થાપનાની વાત થાય છે, એનો ના તો કોઈ રંગ છે કે ના તો એમાં કોઈ સ્વાદ છે .અલ-તૈયબે એમ પણ કહ્યું કે અલગ-અલગ ધર્મોને એકબીજામાં ભેળવવાનું આહ્વાન યથાર્થ અને પ્રકૃતિની સાચી સમજ કેળવવાને બદલે હેરાન કરવાનું એક સપનું છે. એમના મતાનુસાર બધા ધર્મના લોકોને એકસાથે જોડવા અસંભવ છે.અલ-તૈયબેજણાવ્યું કે વિશ્વાસનું સન્માન કરવું એ એક વાત છે, અને એ વિશ્વાસને માની લેવો એ જુદી વાત છે.અલ-અઝહરના શેખે કરેલા સંબોધનમાં અબ્રાહમી ધર્મના આહ્વાન માટે કોઈ પણ રાજકીય દૃષ્ટિકોણનો ઉલ્લેખ નથી થયા એમાં ઇજિપ્તના કૉપ્ટિક પાદરી, હેગોમેન ભિક્ષુ નિયામી પણ છે, જેમણે એમ કહ્યું કે, “અબ્રાહમી ધર્મ, દગા અને શોષણની આડમાં એક રાજકીય આહ્વાન છે.નવા ધર્મનો અસ્વીકાર કરનારા લોકોમાં એવા લોકો પણ છે જેઓ એને વૈચારિક રીતે યોગ્ય માને છે પણ તેઓ એને વિશુદ્ધ રૂપે રાજકીય જૂથવાદની રીતે પણ જુએ છે, જેનો હેતુ ખાસ કરીને અરબ દેશોમાં ઇઝરાયલ સાથેના સંબંધો સુધારવા અને વધારવાનો છે
ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમિરાતને આની સાથે શી લેવાદેવા?
“અબ્રાહમિયા” શબ્દનો ઉપયોગ અને એની સાથે જોડાયેલા વિવાદની શરૂઆત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત આરબ અમિરાત અને બહેરિન દ્વારા ઇઝરાયલની સાથેના સંબંધોને સામાન્ય કરવા માટેની સમજૂતી પર હસ્તાક્ષર કરવાની સાથે થઈ હતી.સંયુક્ત રાજ્ય અમેરિકા અને એના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા એમના સલાહકાર જેરેડ કુશનર દ્વારા પ્રાયોજિત સમજૂતીને “અબ્રાહમી સમજૂતી” કહેવામાં આવે છે.અમેરિકાના વિદેશ વિભાગ તરફથી આ સમજૂતી માટે કરાયેલી જાહેરાતમાં કહેવાયેલું કે, “અમે ત્રણે, અબ્રાહમિક ધર્મો અને પૂર્ણ માનવતા સાથે શાંતિ વધારવા માટે આંતર-સાંસ્કૃતિક અને આંતર-ધાર્મિક સંવાદને સમર્થન આપવાના પ્રયાસોને પ્રોત્સાહિત કરીએ છીએ.ઇઝરાયલ સાથેના સંબંધોને સામાન્ય કરવાની સાથે અબ્રાહમી ધર્મની પરિયોજના દાખલ કરવાની સાથે સામાન્ય સંબંધોનો વિરોધ કરનારા લોકોને બહાનું મળી ગયું, તેઓ નવા ધર્મના વિરોધના બહાને પરિસ્થિતિ થાળે પાડવાનો વિરોધ પણ કરવા લાગ્યા.