ફરિ એકવાર પાટણની પ્રભુતા લજવાઇ છે.પાટણ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે એક દલીત ખેડૂતે પોતાના હક્કની લડાઇ લડતા અંતે ન્યાય ન મળતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.આ આત્મવિલોપનનો પ્રયાસની ઘટનાને પગલે સમગ્ર રાજ્યનુ રાજકારણ ગરમાયુ છે.અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ તેમજ પાટણના સ્થાનીક નેતાઓએ ઘટનામા સંકળાયેલા બેદરકારી દાખવનાર અધીકારીઓ સામે તાત્કાલીક ધોરણે પગલા ભરવાની માંગ કરી છે.ત્યારે બીજી તરફ મંત્રીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
અગાઉ રાજકોટમાં નેપાળી સમાજના લોકોને ન્યાય ન મળતા સામુહિક આત્મવિલોપન કર્યુ હતુ.જેની તપાસ આજે પણ ચાલી રહી છે..ત્યારે ફરિ એકવાર આત્મવિલોપનની ઘટનાએ ગુજરાતના રાજકારણને ગરમાવ્યુ છે.પાટણની આત્મવિલોપનની આ ઘટનામાં 6 વર્ષથી દલીત ખેડૂત દ્વારા કલેક્ટર કચેરીઓ પોતાની જમીનની ફાઇલ માટે વાંરવાર ધક્કા ખાવામાં આવતા હતા.એટલુ જ નહીં બે દિવસ પહેલા જમીનના કેસો અંગે સ્થાનીક નેતાઓએ પણ કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતુ.ત્યારે દલીત ખેડૂત ભાનુભાઇ વણકરે કલેક્ટર કચેરીએ આત્મવિલોપન પ્રયાસ કર્યો છે.