અમદાવાદ : રાજદ્રોહ કેસ સાથે સંકળાયેલ અમરીશ પટેલ ભાજપમાં જોડાશે, બપોરે 2 વાગ્યાની આસપાસ ભાજપ મીડિયા સેન્ટર ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે।તમને જણાવી દઈએ કે અમરીશ પટેલનો પાટીદાર અનામત આંદોલનમાં મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
રાજદ્રોહ કેસ સાથે સંકળાયેલ અમરીશ પટેલ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। અત્યાર સુધીના સમય ગાળા દરમિયાન અમરીશ પટેલની રાજદ્રોહ કેસ મામલે હજુ સુધી ધરપકડ થઈ ન હતી હાર્દિક સહિત 6 લોકો સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો