અમરેલીમાં સારા પ્રમાણમાં મેઘમેહેર રહેતા ઠેબી ડેમના બે દરવાજા 1-1 ફુટ ખોલવામાં આવ્યા છે. જેને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બગસરાનો મુંજીયાસર ડેમ પણ 100 ટકા ભરાય ગયો છે. અવિરત પડી રહેલા વરસાદને પગલે મોટા ભાગના જળાશયોમાં પાણીની આવક વધી છે.તો દીવના દરિયામાં ગઈકાલે મોડી રાત્રે નવસારીની પાર્વતી દેવી નામની બોટમાં પાણી ભરાતા જળસમાધિ લીધી હતી. જોકે અન્ય 9 ખલાસીઓનો સ્થાનિક 3 બોટો દ્રારા બચાવવામાં સફળતા મળી હતી. સૌરાષ્ટ્રમા છેલ્લા પાંચ દિવસથી અનરાધાર વરસાદ સાથે ભારે પવન ફુંકાઇ રહ્યો છે. બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ હતી. વીતી મોડી રાત્રીના બોટના પઠાણમા પાણી ભરાવાનુ શરૂ થયું હતુ. ત્યારબાદ પાણીમાં ડૂબવા લાગી હતી. જોકે, નવ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.
Monday, April 29