સમુદ્રમાં આશરે એક મહિના જેટલો સમય કોઈ પણ સાધનો વગર વિતાવ્યા પછી અમૃત કુજૂર સલામત ઘરે આવ્યો છે. 22 ઓક્ટોબરે તે ખિરીસાહી ગામને કિનારે પહોંચ્યો, ત્યાં તેની તૂટેલી હોડી બાજુમાં પડી હતી. જોવાની વાત એ છે કે, આટલા દિવસ સમુદ્રમાં રહ્યા હોવા છતાં ડોક્ટરે તપાસ દરમિયાન તેને સ્વસ્થ કહ્યો હતો.
અમૃતની પત્નીએ પોલીસમાં ગુમ થયા હોવાની ફરિયાદ કરી હતી
અમૃતની સ્થિતિ જોઈને ગામના લોકોએ તેને કપડાં અને જમવાનું આપ્યું હતું, ત્યારબાદ અમૃતે તેની પત્ની સલમાને પોતાની જાણ કરી હતી. સલમાએ જણાવ્યું કે, તેના પતિની ફરિયાદ તેણે પોલીસે સ્ટેશનમાં લખાવી હતી. જો કે,અમૃત સાથે અન્ય એક મિત્ર પણ હતો, જેનું મૃત્યુ થયું હતું.
કોઈ જહાજે અમૃતની મદદ ન કરી
પોતાની સ્ટ્રગલ વિશે અમૃતે જણાવ્યું કે, 28 સપ્ટેમ્બરે હું મારા મિત્ર દિવ્યરંજન સાથે શહીદ ટ્વીપ પરથી હિંદ મહાસાગરના અન્ય દ્વીપ પર હોડી લઈને માલ વેચવા માટે રવાના થયા હતા. અમારી હોડી પર આશરે 5 લાખ રૂપિયાનો માલ હતો, તેમાં એક નવી સ્કૂટી પણ હતી. સમુદ્રમાં ભયાનક તોફાન જોઈને અમે હોડીનું વજન ઓછી કરવા માટે ઘણો સામાન પાણીમાં ફેંકી દીધો હતો. અમે ઘણા જહાજને મદદ માટે ઈશારા કર્યા હતા, પણ કોઈ અમારી મદદ માટે ન પહોંચ્યું.
નેવીએ મદદ કરી, ભૂખને કારણે અમૃતના મિત્રનું મૃત્યુ થયું
વધુમાં અમૃતે જણાવ્યું કે, સમુદ્રમાં તોફાનને કારણે અમે મ્યાનમાર પહોંચી ગયા હતા, અહીં અમને નેવીએ એક હોકાયંત્ર, નાની હોડી અને 260 લીટર ફ્યુલ આપ્યું હતું જેથી અમે અંદમાન-નિકોબાર સુધી પહોંચી શકીએ, પણ આ રસ્તામાં આમરો સામનો વધુ એક ખતરનાક તોફાન સાથે થઈ ગયો. અમે રસ્તો ભૂલી ગયા. હોડીમાં પણ ખાવાનું કે પીવાનું કંઈ વધ્યું નહોતું. ભૂખને કારણે મારો મિત્ર દિવ્યરંજન મોતને ભેટ્યો, મેં તેની ડેડબોડી બે દિવસ સુધી હોડીમાં રાખી પણ તે સડવા લાગી અને મેં તેનો મૃતદેહ દરિયામાં ફેંકી દીધો
સૂકામેવાએ અમૃતનો જીવ બચાવ્યો.
અમૃતની સમુદ્રમાં મોત સામેની જંગ સામે ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા કે, આટલા સમય સુધી કોઈ વ્યક્તિ ખાધા-પીધા વગર કેવી રીતે રહી શકે!! આ દરમિયાન એક વરિષ્ઠ માછીમાર કોલારાજૂ રેડ્ડીએ કહ્યું કે, સમુદ્રમાં અમૃતે દરિયાનું પાણી અને સૂકોમેવો ખાઈને સમય વિતાવ્યો હતો.