સુરતમાં આવેલા હજીરા ખાતેની આર્સેલર મીત્તલ-નિપોન સ્ટીલ કંપનીએ કરેલું સરકારી જમીન ઉપરનું દબાણ હટાવવા અને પ્રદૂષણ ઉપર નિયંત્રણની કાર્યવાહી કરવાને બદલે ભાજપની ભ્રષ્ટાચારી ગુજરાત સરકાર પોતાના મળતીયા ઉદ્યોગ ગૃહ આર્સેલર મિત્તલ-નિપોન સ્ટીલ-AMNSને ૨૪ લાખ ૭૭ હજાર ચોરસ મીટર જમીન કાયદા કાનુનને નેવે મુકીને પાણીના ભાવે મુલ્યાંકન કરીને રૂ.૯,૬૮૧ કરોડનું કૌભાંડ કરવા જઈ રહી હોવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવડિયાએ દસ્તાવેજી પુરાવાઓ સાથે આક્ષેપ કર્યો હતો.
અર્જુન મોઢવડિયાએ આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સામાન્ય નાગરીકે ૧૦૦-૨૦૦ વારનું દબાણ કર્યું હોય તો તેમને લેન્ડ ગ્રેબીંગમાં ફીટ કરીને જેલમાં ધકેલી દેનાર ભાજપની સરકાર વિદેશી આર્સેલર મિત્તલ-નિપોન સ્ટીલ-AMNSનું લાખો ચોરસ મીટરનું દબાણ નિયમિત કરીને નિયમ વિરૂધ્ધ અને કલેકટરના અધ્યક્ષપદ હેઠળની જમીનનું મુલ્યાંકન કરનારી ડીસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમીટીની ભલામણોને ફગાવીને મનઘડંત રીતે ભાવો નક્કી કરીને AMNSને રૂ.૯,૮૬૧ કરોડનો ફાયદો કરાવવાની કાર્યવાહી જેટ ઝડપે ચાલી રહી છે.
તેમણે જણાવ્યું કે AMNSને અગાઉ ૭૨.૪૮ હે. જમીન રૂ.૭૦૦ પ્રતિ ચો.મી.ના એડહોક ભાવે અને વેલ્યુએશન કરાવીને જમીનના જે બજાર ભાવ નક્કી થાય તે મુજબના ભાવ આપવાની શરતે રાજ્ય સરકારે આગતરો કબ્જો સોંપેલ હતો.આ જમીનમાં AMNSએ દબાણ કરેલ એડહોક વેલ્યુએશનના અઢીગણા લેખે ચુકવણું કરીને આ જમીન પેટે રૂ.૧૨૭ કરોડ એડહોક ધોરણે ભરેલ હતા. પરંતુ આ ૭૨.૪૮ હે. જમીનનું કલેકટરના અધ્યપક્ષદ હેઠળની ડીસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમીટીએ ૨૦૧૪માં વેલ્યુએશન કરતાં રૂ.૧૬૫૨૦ પ્રતિ ચો.મી. થયેલ હતું. છતાં AMNS એ હજુ સુધી આ જમીનના તફાવતનાં નાણા ભરેલ નથી. એટલે વિલંબિત ચુકવણા ઉપર વ્યાજ અને સરકારના નવા નિયમ મુજબ-૨૦૨૧નો ભાવ ભરવાનો થાય. પરંતુ રાજ્ય સરકાર આ કિસ્સામાં જીલ્લા મુલ્યાંકન સમિતિની ભલામણો ગેરકાનુની રીતે ફગાવીને રૂ.૧૬૫૨૦ની જગ્યાએ માત્ર રૂ.૧૦૦૦ કરી દેવા માગે છે અને અગાઉ ભરેલ રૂ.૭૦૦/ચો.મી. દરનાં બાકી રહેતા વધારાના રૂ.૩૦૦ના અઢી ગણા લેખે ભરાવીને તે હિસાબે માત્ર રૂ.૫૪ કરોડ વધારાના ભરાવીને રૂ.૧૨૭+૫૪=રૂ.૧૮૧ ભરવાનું જણાવે છે.
તેમણે જણાવ્યું કે હવે જો મુલ્યાંકન સમિતિના આધારે વ્યાજ સહિત વસુલાત કરવાની આવે તો રૂ.૧૬૫૨૦X૭૨૪૮૦૦X૨.૫=૨૯૯૩.૪૦ કરોડ ૨૦૧૪માં ભરવાના હતા. આગોતરા કબજા વખતે ભરેલ રકમનું બાદ કરીએ તો ૨૯૯૩.૪૦-૧૮૧=૨૮૧૨.૪૩ કરોડ ૨૦૧૪માં ભરવાના થાય. પરંતુ ૨૦૨૧ સુધીનું વ્યાજ ૨૮૧૨.૪૩X૭X૧૨/૧૦૦=૨૩૬૨.૪૪ આજની તારીખે કુલ વ્યાજના થાય. કુલ=૨૮૧૨.૪૩+૨૩૬૪.૪૪=૫૧૭૪.૮૭ ભરવાના રહે. પરંતુ રાજ્ય સરકાર કુલ માત્ર રૂ.૧૮૧ કરોડ ભરાવવા માગે છે જેનાથી રૂ.૫૧૭૪.૮૭-૧૮૧ કરોડ=૪૯૯૩.૮૦ કરોડનો સીધો ફાયદો AMNSને કરાવવા માગે છે.
મોઢવડિયાએ જણાવ્યું કે એરીયા ચો.મી. મુલ્યાંકન પ્રતિ ચો.મી. (એડહોક) (રૂપિયામાં) ૨૦૦૮ કુલ રકમ રૂપિયા કરોડમાં મુલ્યાંકન પ્રતિ ચો.મી. ૨૦૧૪ (રૂપિયામાં) ૨૦૧૪ પ્રમાણે કુલ રકમ રૂપિયા કરોડમાં ૭ વર્ષ (૨૦૨૧)નું ૧૨ટકા વ્યાજ રકમ રૂપિયા કરોડમાં કુલ રકમ રૂપિયા કરોડમાં તફાવત રૂપિયા કરોડમાં
૭૨૪૮૦૦ ૧૦૦૦ ૧૮૧ ૧૬૫૨૦ ૨૯૯૩.૪૦ ૨૩૬૨.૪૦ ૫૧૭૪.૮૭ ૪૯૯૩.૮૦
AMNSને સીધો ફાયદો રૂ.૪૯૯૩.૮૦ કરોડનો થાય છે.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે ૨૨.૪૭ હેકટર જમીન સરકારે અગાઉ નાની સહકારી મંડળીઓને નવી શરતથી આપી હતી. સદરહુ જમીન શરત ભંગમાં જતાં સરકાર થયેલી છે. આ જમીન ઉપર AMNS એ જુદાં-જુદાં બાંધકામો કરીને દબાણ કરેલ છે. સદરહુ જમીન વિવાદમાં AMNS એ સહકારી મંડળીઓ સાથે ‘પતાવટ’ કરેલી છે તથા તેના ઉપરનાં બાંધકામનું દબાણ પોતાનું નથી એવું દર્શાવીને સદરહુ જમીન કોઈપણ રકમ ચુકવ્યા વગર પોતાને સોંપી દેવાની AMNS એ માગણી કરેલી છે.
હકીકતે આ જમીનનું ૨૦૧૪નું મુલ્યાંકન પણ રૂ.૧૬૫૨૦ થાય છે. ૨૦૨૦ સુધી ૧૨ ટકા ક્રમિક વધારો ગણીએ રૂ.૧૬૨૫૦+રૂ.૧૩૮૭૭=રૂ.૩૦૩૯૭/ચો.મી. ભાવ થાય છે.
અર્જુન મોઢવાડિયાનું પ્રેસ બ્રિફીંગ
કંપનીએ આ જમીન ઉપર દબાણ કરેલ હોય તેના બજાર ભાવના ૨.૫ ગણા લેખે રકમ ચુકવવાની રહે છે તે અનુસાર રૂ.૩૦૩૯૭X૨.૫=રૂ.૭૫,૯૯૨.૫૦/ચો.મી. લેખે AMNS એ ચુકવણું કરવાનું રહે છે. પરંતુ AMNSના જમીન પર ફક્ત રૂ.૮૪૭૧X૨૨૪૭૦૦=રૂ.૧૯૦.૩૪ કરોડમાં ફાળવવા માંગે છે અને તે અનુસાર દરખાસ્ત સરભર માટે મગાવવામાં આવેલ છે.
AMNS એ કુલ ચુકવવાપાત્ર રકમ ૨૨,૪૭,૦૦X૭૫,૯૯૨.૫૦=રૂ.૧૭૦૭.૫૫ કરોડ થાય છે. પરંતુ AMNS રૂ.૧૭૦૭.૫૫ કરોડ ચુકવવાનો ઈન્કાર કરેલ છે.
આ ઉપરાંત AMNS એ ૭૨.૬૪ હેકટર અને ૮૦.૧૬ હેકટર મળીને કુલ ૧૫૨.૮૦ હેકટર જમીન ફાળવવા માટે નવી અરજી કરેલી છે. આ જમીન ઉપર જીંગા ફાર્મ આવેલાં હતાં. સરકારે આ જમીન AMNSને ફાળવવાની કાર્યવાહી કરતાં ફાર્મ માલિકોએ હાઈકોર્ટમાંથી જીંગા ફાર્મ તોડવા સામે સ્ટે મેળવેલ છે. પરંતુ સ્ટેની પ્રક્રિયાપૂર્ણ થયા પછી આ જમીન AMNSને સોંપવાની ભલામણ ચાલી રહી છે તે મુજબ રાજ્ય સરકારે નવું ૨૦૨૦માં મુલ્યાંકન રૂ.૮૪૭૧ કરેલ છે. હકીકતે આજ જમીનનું જીલ્લા લેન્ડ વેલ્યુએશન કમીટીએ ૨૦૧૪માં રૂ.૧૬,૫૨૦ મુલ્યાંકન કરેલું. તેમાં ૧૨ ટકાનો વાર્ષિક ક્રમિક વધારો ગણવાનો રહે છે તે મુજબ રૂ.૧૬,૫૨૦+(રૂ.૧૬૨૫૦X૧૨X૭/૧૦૦) ૧૩,૮૭૭=રૂ.૩૦,૩૯૭/ચો.મી. ગણવાના રહે છે.
એરીયા ચો.મી. મુલ્યાંકન પ્રતિ ચો.મી. સાલ ૨૦૨૦ ૨૦૨૦ના મુલ્યાંકન મુજબ કુલ રકમ કરોડમાં (એ) રૂ.કરોડમાં મુલ્યાંકન ચો.મી. સાલ ૨૦૧૪ રૂ.કરોડમાં કુલ રકમ કરોડમાં રૂ.(બી) રૂ.કરોડમાં ૨૦૧૪ અને ૨૦૨૦ના મુલ્યાંકનને કારણે સરકારને નુકશાન (બી)-(એ) રૂ.કરોડમાં
૧૫૨.૮૦X૧૦૦૦૦
=૧૫૨૮૦૦૦ ૮૪૭૧ ૧૨૯૪ ૩૦૩૯૭ ૪૬૪૪.૬૬ ૩૩૫૦.૬૬ કરોડ
સરકારની નવી દરખાસ્તને કારણે રાજ્યની તિજોરીને રૂ.૩૩૫૦.૬૬ કરોડનું નુકશાન જાય તેમ છે.
અર્જુન મોઢવડિયાએ સરકાર પ્રવર્તમાન નિયમ મુજબ જમીન મુલ્યાંકન કરીને ગણતરી કરવામાં આવે તો રાજ્ય સરકારને રૂ. ૯૮૬૧.૭૪ કરોડનું નુકશાન થવાનો અને મતળીયા ઉદ્યોગ ગૃહ AMNSને ફાયદો થતો હોવાનું તારવ્યું હતું.