નવી દિલ્હી : જો તમારું કોઈ કામ બેંકમાં અટવાયું છે અને કોઈ કામ માટે તમારે તમારી બેંકમાં જવું છે. તો તમને ખબર હોવી જોઇએ કે બેંકો હવે ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે બંધ રહેશે. હવે તમારે તમારા કોઈપણ પ્રકારનાં બેંકિંગ કાર્ય માટે ત્રણ દિવસ રાહ જોવાની જરૂર પડશે. જુદા જુદા તહેવારોને કારણે 19 જુલાઈથી કેટલાક શહેરોમાં બેંકો ત્રણ દિવસ બંધ રહેશે.
બેંકો રાજ્ય-વિશિષ્ટ રજાઓ પર બંધ થાય છે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના હોલીડે કેલેન્ડર મુજબ રાષ્ટ્રીય રજાઓ સિવાય રવિવાર અને બીજા શનિવારે બધી બેંકો બંધ રહેશે. જો કે, આ સાથે કેટલીક રાજ્ય-વિશિષ્ટ રજાઓ છે, જેના માટે તે રાજ્યમાં બેંકો બંધ છે. ઉત્તરાખંડમાં હરેલા પર્વને કારણે 16 જુલાઈએ બેંકો બંધ રહી હતી. 17 જુલાઇએ યુ તિરોટસિંહ દિવસ અને ખર્ચી પૂજાને કારણે અગરતલા અને શિલોંગમાં બેંકો બંધ રહી હતી.
જાણો ક્યારે બેંકો બંધ રહેશે
હાલના તબક્કે, સિક્કિમના ગુરુ રિનપોચેના થુંગકર ત્સેશુને કારણે 19 જુલાઈએ બેંકો બંધ રહેશે. તે જ સમયે, બકરી ઈદને કારણે 20 જુલાઈએ જમ્મુ અને કોચીમાં બેંકો બંધ હશે. આ પછી 21 જુલાઇએ દેશભરની બેંકો ઇદ અલ અધા માટે બંધ રહેશે. જો કે, આઇઝોલ, ભુવનેશ્વર, ગંગટોક, કોચી અને તિરુવનંતપુરમની બેંકો 21 જુલાઈએ ખુલી રહેશે. બીજી તરફ, અગરતલામાં કેરા પૂજાના કારણે 31 જુલાઈએ બેંકો બંધ રહેવા જઈ રહી છે. આ સિવાય 24 જુલાઈએ ચોથો શનિવાર અને 25 જુલાઇ રવિવાર હોવાને કારણે બેંકો બંધ રહેશે.