અમદાવાદ પૂર્વમાં આવેલી બાપુનગર વિધાનસભા વિસ્તારમાં મોટાભાગે પંચરંગી મતદારો જોવા મળે છે ગત વર્ષ ૨૦૧૨ની ચૂટણીમાં આ બેઠક ભાજપના અગાઉ સાઈડ ટ્રેક કરી દેવાયેલા જગરૂપ સિહ રાજપૂતને ફાળવી હતી અને કાંટાની ટક્કર બાદ માત્ર ૨૬૦૩ મતના માર્જીનથી કોંગ્રેસના ધીરુભાઈને પરાજય આપ્યો હતો
બાપુનગર વિધાનસભાનો આ વિસ્તાર મૂળ પરંપરાગત વિધાનસભાની આ વિસ્તાર મૂળ પરંપરાગત વિધાનસભા વિસ્તારમાંથી વિભાજીત થયેલો છે જેના કારણે અમરાઈવાડીનો થોડો ઘણો શ્રમિક વિસ્તાર પણ અહી સમાવિષ્ટ કરાયો છે તે ઉપરાંત હિન્દી ભાષી અને અન્ય પરપ્રાંતીય મતદારોનો પણ અહી વ્યાપક રીતે સમાવેશ થાય છે
તમામ પાતળા પરિણામ ધરાવતી બેઠકો પર જે પ્રકારે ભાજપ અને કોંગ્રેસ હાલ વધુ ને વધુ મજબુત ઉમેદવારોને શોધી રહ્યા છે તેવી જ સ્થિતિ અ બેઠક માટે પણ સર્જાઈ છે તેથી કોંગ્રેસને મહાન કરવા માટે ભાજપે અહી ઉમેદવાર બદલવાની અને વધુ મજબુત ઉમેદવાર મુકવાની કવાયત નક્કી કરવી પડશે બાપુનગર વિસ્તારના સ્થાનિક મતદારો પણ અનેક પ્રશ્નો છે તેવી જ રીતે અહીના હીરાના કારખાનેદારો તથા રત્ન કલાકારોની સમસ્યાઓનો વર્ષોથી કોઈ ઉકેલ આવતો નથી
અહિયાં ખાસ કરીને ટ્રાફિકજામ અને દબાણોની સમસ્યા મુખ્ય છે તેવી જ રીતે વિસ્તારની પાયાની સમસ્યામાં આરોગ્ય તથા સફાઈનો પ્રસન પણ મતદારોને મોટાપાયે નડી રહ્યો છે અને હવે વિકરાળ રૂપ ધારણ કરી ચુક્યો છે