કોંગ્રેસ અને ભાજપ માટે માથાનો દુઃખાવો બની શકે એવો પ્રશ્ન જ પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો હોય છે. કેમ કે, એકવાર સત્તાનો સ્વાદ ચાખી ગયેલા મુરતિયાઓ એમ આસાનીથી એમનો હક જતો કરે તેવા નથી હોતા, અને એટલે જ રાજકારણમાં વંશવાદ જોર પકડે છે. જેમાં કહેવાય છે કે, કોંગ્રેસમાં એકવાર ઉમેદવારોની પસંદગી થઇ ગઈ પછી એને બહારના દુશ્મનોની જરૂર નથી પડતી. ઘર ફૂટે ઘર જાય એવા હાલ કોંગ્રેસના થાય છે. બીજેપી આરએસએસની ભગીની સંસ્થા હોવાને લીધે અહી થોડા ડીસીપ્લીનમાં રહેવું પડે છે, પરંતુ હાર્યો જુગારી બમણું રમે એમ એક વાર ચુટણીમાં ઉતરેલા ઉમેદવારો ફરી જીતવાની ઉમ્મીદ સાથે ચુંટણી તો લડવા ઈચ્છે જ છે.
ભાજપમાં આવા લોકો નથી એવું પણ સાવ નથી. અને આવા અસંતોષી જીવોને પહેલેથી જ કંટ્રોલમાં રાખવા બીજેપીએ ચુંટણી તારીખ જાહેર થયા પહેલા જ બોઅર્ડ-નિગમો ના ચેરમેનોની નિમણુક કરી હતી . અને આટલું અધૂરું હોય એમ ટીકીટ માંગેલા કેટલાક ટોચના ઉમેદવારોને પ્રવક્તા બનાવી ઓલ ટાઈમ બીજી કરી નવો ખેલ પાડ્યો. પણ આટલે થી પૂરું નહિ થાય હજુ ખરો ખેલ તો બાકી છે. ભાજપમાં ૪૫૦૦ જેટલા લોકોએ ટીકીટ માંગી છે. ત્યારે પાર્ટી માટે એ સમસ્યા તો હોય જ કે, કોના પત્તા કાપવા અને કોને ટીકીટ આપવી.
અને આ કવાયતને ધ્યાનમાં રાખીને જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિવાળી પરિવાર સાથે મનાવવાના બહાને અમદાવાદમાં અડીંગો જમાવીને બેઠા છે. તેમજ હાલમાં જ તેમની અધ્યક્ષ્તામાં ગુજરાત બીજેપી સંસદીય બોર્ડની ૬ દિવસીય બેઠક સમાપ્ત થઇ. અને આ બેઠકમાં અમિત શાહનો મોટાભાગનો સમય સંભવિત ઉમેદવારોને મળવામાં જ પસાર થયો. જો કે, કેટલા ઉમેદવારો ફિક્સ છે એ હાલ જાણી શકાયું નથી. પરંતુ એ વાત નક્કી છે કે, વ્યાપક વિરોધના પગલે બીજેપી ઉમેદવારોની પસંદગી ફૂકી ફુકીને કરશે.
વિશેષમાં ભાજપે તેની ઈચ્છા કે અનિચ્છાએ પણ જાતીવાદના કાર્ડને ધ્યાનમાં રાખી ટીકીટોની ફાળવણી કરવી પડશે. અન્યથા કોંગ્રેસે શરુ કરેલ જાતિવાદનું કાર્ડ ભાજપની પરમ્પરાગત વોટ બેંક તોડી શકે છે.
વેલ અમદાવાદની ૧૬ બેઠકમાં પણ ઉમેદવારોની પસંદગી જાતીવાદના ચશ્માં લગાવીને જ કરવી પડશે. જેમાં નારણપુરામાં આમ તો અમિતશાહ ના ખાસ નજદીકી ગણાતા હાલના મેયર ગૌતમ શાહ ને ટીકીટ આપવાની પ્રબળ સંભાવના સેવાઈ રહી હતી. પરંતુ સ્થાનિક લેવલે રોડ-રસ્તા ના કામ મામલે જે અઘોર બેદરકારી દાખવવામાં આવી અને તેના લીધે ભાજપની છબીને જે નુકસાન થયું, એનાથી ઇવન કેન્દ્રીય નેતાગીરી પણ નારાજ છે. તેથી આનંદીબેનની આ સીટ પર ભાજપે હવે કોઈ પટેલ ઉમેદવારને જ તક આપવી પડશે.
જો કે, આ પ્રશ્ન ફક્ત નારણપુરાનો જ નથી. બલકે ચોમાસા બાદ એક તરફ જ્યાં જીએસટી લગાવવામાં આવ્યો ત્યાં બીજી તરફ પ્રાથમિક સુવિધાના અભાવે પબ્લિક ભારોભાર હેરાન થઇ. અને સમગ્ર અમદાવાદના રોડ-રસ્તા સાવ ખાડે ગયા અને મીડિયામાં વારંવારની ચર્ચાઓ છતાં સ્થાનિક લેવલે જે ઘોર લાપરવાહી દાખવવામાં આવી એનાથી ભાજપની ઈમેજનું ભરપુર ધોવાણ થયું છે. અને લોકોના ભારોભાર અસંતોષને ધ્યાનમાં રાખીને જ પાર્ટી ૫૦% સિટીગ ધારાસભ્યોને રિપીટ કરવાને બદલે નવા ચહેરાને ઉતરશે. એમાં પણ જાતિવાદનું ધ્યાન રાખવું પડશે. ત્યારે ભાજપ કે કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી આસાન નહિ હોય